________________
૬૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ - કહેવાઈ છે. આમાં મનુષ્યના જ ભેદ તરીકે ચુગલિયાએ જમે છે, તેઓ ભેગ પ્રધાન હોવાથી અરિહંતના ધર્મની યોગસાધના મુદ્દલ કરી શકતા નથી, પુણ્યકર્મની પ્રચુરતાના કારણે કષાયભાવ પણ મંદ હોય છે તેથી દેવગતિ તેમને માટે નિયમ છે. કેમકે વેગ અને ભેગ એક સાથે રહેતા નથી તેમ છતાં પણ જુગાર, માંસ ભેજન, શરાબપાન આદિના કારણે નરકભૂમિ પણ નકારી શકાતી નથી. તે પછી મનુષ્યને માટે શું પૂછવાનું?
ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની મર્યાદા ભરત અને અરાવત ક્ષેત્રને માટે છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદેવ ચેાથે આરે છે.
મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના વચલા બાવીશ તીર્થકરો પાચ મહાવ્રત અને સપ્રતિક્રમણ ધર્મને ઉપદેશ કરતા નથી. જ્યારે પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવ્રતને ઉપદેશ કરે છે અને મહાવિદેહમાં ચાર વ્રતને ધર્મ છે.
જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આ ચાલુ અવસર્પિણું કાળમાં ભાષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, ચ દ્રપ્રભુ, પુષ્પદંત, (સુવિધિ) શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથુ, અર, મહિલ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ અને વર્ધમાન નામે ચોવીસ તીર્થકર થયા છે.
ઉપરના વીશ તીર્થંકરના અંતરા તેવીશ (૨૩) જાણવા. જેમ ત્રષભ અને અજિતને અંતર, અજિત અને સંભવને, તેમ પાશ્વ અને વર્ધમાનને અતર આમાંથી ત્રાષભથી ચંદ્રપ્રભ સુધી અને શાંતિનાથથી મહાવીરસ્વામી સુધી આઠ આઠ અંતરામાં કાલિક શ્રતને વિચછેદ થયો નથી. જ્યારે સુવિધિનાથથી ધર્મનાથ સુધીના સાત અંતરમાં કાલિક શ્રતને વિચ્છેદ થયે છે.'