________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૭ બંધ માટેની વિશેષ વકતવ્યતા ' હે પ્રભે! બંધ કેટલા પ્રકારે છે?
જવાબમાં ભગવતે નીચે પ્રમાણે ત્રણ બંધ કહ્યા છે. (૧) જીવ પ્રાગ બંધ –મન, વચન અને કાયાના સૂક્ષ્મ
કે બાદર વ્યાપારે વડે કર્મ પુદગલેને આત્માની સાથે
જે સંબંધ થાય છે તે જીવ પ્રાગ બધ છે. (૨) અનંતર બંધ-કર્મ પુદ્ગલેને બંધ થયા પછીના સમયે
જે બંધ થાય તે અનંતર બંધ છે. (૩) પરંપર બંધ-અને દ્વિતીયાદિ સમયે થતા બંધને પર પર
બંધ કહેવાય છે આ ત્રણે બધે ૨૪ દંડક માટે જાણવા.
નોંધ :-આ સૂત્રથી કમેને બંધ જીવાત્માને મન-વચન અને કાયાના વ્યાપારને આધીન છે, પરંતુ ઈશ્વરને આધીન નથી માટે સ્વતંત્ર છે.
ઈશ્વર સૌથી પહેલા માણસની બુદ્ધિ બગાડે છે, ત્યાર પછી તે માણસ કૂને કરે છે? આ સિદ્ધાંત સત્ય નથી કેમકે ભવભવાંતરના પિતાના જ કરેલા જ્ઞાનાવરણીયાદિના કારણે માણસ દુબુદ્ધિને માલિક બનીને પુનઃ પુનઃ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. કેમકે તેના અવાન્તર ભેદમાં મતિજ્ઞાનાવરણીય કર્મ પણ સમાહિત હોવાથી તેની તીવ્રતાના કારણે માણસની