________________
રાતક ૨૦ મુંઃ ઉદ્દેશક–૫
૬૨૫ પ્રમાણે છે. બીજા પરમાણુને મળવાવાળે કદાચ ધોળે વર્ણવાળો હોય તે મરનાર પરમાણુ પાંચ વર્ણમાં ગમે તે વર્ણને હાઈ શકે છે. સામે વાળે તીખા રસને હેાય તે મળનાર પાચ રમમાંથી ગમે તે રસને હાય, ગંધ માટે પણ ઉપર પ્રમાણે જાણવું. સ્પર્શની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. મળવાવાળે કદાચ સિનગ્ધ હોય તે મળનારે બીજે પરમાણુ રૂક્ષ હા જોઈએ અને શીત કે ઉoણમાંથી ગમે તે હોય ત્યારે સ્કંધ બે સ્પર્શવાળ કહેવાશે, જેમ શીત+નિગ્ધ, શીત+રૂક્ષ, ઉષ્ણ-નિગ્ધ
તથા ઉષ્ણ-રૂક્ષ
ક્રિપ્રદેશિક સ્કંધમાં ત્રણ સ્પર્શ નીચે પ્રમાણે થશે. સવાશે તે બંને પરમાણુ શીત હોય ત્યારે એક દેશમાં સ્નિગ્ધ અને બીજા દેશમાં રૂક્ષ પણ હતા ત્રણ સ્પર્શ થશે. ચાર સ્પર્શ આ પ્રમાણે, એક દેશ શીત, બીજો ઉષ્ણ અને બંનેમાંથી એક દેશ સ્નિગ્ધ અને બીજે રૂક્ષ હતા ઢિપ્રદેશિક સ્કંધ ચાર સ્પર્શ વાળો પણ થશે. શેષ વર્ણન મૂળ સૂત્રથી જાણવું. ત્રિપ્રદેશિક સ્ક ધ માટે ભગવંતે કહ્યું કે તેમાં કદાચ એક બે કે ત્રણ વર્ણ હોઈ શકે છે. મળનારા ત્રણે પરમાણુ એક જ વર્ણન હતા ત્રિપ્રદેશિક સ્કંધ પણ એક વર્ણવાળ રહેશે, એક પરમાણમા એક વર્ણ અને મળનારા અને પરમાણુમાં બીજી જાતને એક જ વર્ણ હતા બે વર્ણ અને ત્રણે પરમાણુ જુદા જુદા વણેથી ત્રણ વર્ણવાળે ત્રિપ્રદેશિક સ્કંધ બનશે. રસ ગંધ અને સ્પર્શ માટે ઉપરની કલ્પના કરવી. આ પ્રમાણે અનંત પ્રદેશિક સ્કંધ માટે પણ જાણવું જે મૂળ પાઠમાં સ્પષ્ટ છે. પરમાણુ કેટલા પ્રકારે છે?
ભગવંતે નીચે પ્રમાણે ચાર પ્રકારે પરમાણુ કહ્યાં છે :