________________
૬૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનમાં જ્ઞાનતત્વ રહેલું હોવા છતાં એકમાં સત્યજ્ઞાન છે અને બીજા માં મિથ્યા ન છે માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાજ્ઞાન, સંશયજ્ઞાન રહેલું હોય છે ત્યાં સુધી તેને આત્મા શક્તિ સંપન્ન બની શક્તો નથી, કેમકે આત્માને માટે સમ્યગૂજ્ઞાન જ જબરદસ્ત શકિન છે, જેનાં કારણે અનાદિકાળના કર્મોના કુસંસ્કારને ત્યાગે છે અને સારા સંસ્કારમાં પ્રવેશ કરે છે. જે અનાદિકાળમા આવુ બન્યુ નથી. મિથ્યાજ્ઞાનમાં આત્માની શક્તિઓ અવળે રસ્તે ગયેલી હોવાથી પાપ, પાપના માર્ગે જાણવા છતાં પણ ત્યાગી શકતું નથી કસાઈખાને હજારો લાખ મૂક પ્રાણુઓ ઉપર કસાઈ કર્મ કરનાર કસાઈનું આંતરમન કોઈક સમયે જરૂર કબૂલ કરે છે કે આ હું પાપકર્મ કરી રહ્યો છું, શરાબપાન કરનારે પણ “હુ શરાબ પીવું છું” આવું બોલતા પણ શરમાય છે. ગણિકા પણ સમજે છે કે અમારા પાપદયના કારણે દુરાચારમય જીવન મળ્યું, તેવા માતપિતા અને શિક્ષકે મળ્યા જેના પાપે અમને નિંદનીય કર્મ કરવા પડે છે. આ પાપ કર્મને પણ ગણિકા પિતાના મેઢે કહી શકતી નથી. ઈત્યાદિક પ્રસંગમાં મિથ્યાજ્ઞાનને જોર વધારે હેવાના કારણે સમજદારી હોવા છતાં પણ પાપો ત્યાગવા માટે તેઓ સમર્થ બનતા નથી. સારાશ કે આવા માનવે પૂર્વના પાપકર્મોનો ભારો લઈને મનુષ્યાવતારમાં આવે છે અને ફરીથી દુબુદ્ધિવશ થઈને પાપ કરે છે, પરિણામે ભયંકરમાં ભયંકર પાપકર્મોને કરી નરકાવતાર મેળવવાની ચેગ્યતા ધારણ કરવાની ફરજ પડે છે.
જ્યારે ભાગ્યશાળી આત્માઓ પ્રારંભમાં થોડું કષ્ટ ભોગવીને પણ સત્યજ્ઞાનનો પ્રકાશ પામતાં જ પાપને છોડવા માટે પ્રયત્ન કરે છે. તેઓ સમજતા હોય છે કે જન્મવું અને મરવું