________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧ માંગતે માનવ અને પાપકર્મોને ઉદય વિદ્યમાન હોવા છતાં પણ તે પાપમાંથી પિતાના આત્માને બચાવી શકે છે.
(૭) બંધ તત્ત્વ : આશ્રવ દ્વારા ઉપાર્જિત કરેલાં કર્મોને આત્માના પ્રત્યેક પ્રદેશ સાથે બાધવાનું-મિશ્રિત કરવાનું કામ ઈશ્વરને અધીન નથી. પણ કર્મોને કર્યા પછી શુભ કે અશુભ લેક્શામાં આગળને આગળ વધતો આત્મા પોતે જ કર્મોથી બધાય છે. અર્થાત્ તે ભૂતપૂર્વના અનંતાન ત કર્મો અને પ્રતિસમયે કરાતા નવા કર્મો આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર જેનાથી ચેટે છે તે બંધતત્વને આભારી છે
(૮) નિર્જરા તત્ત્વ : દૂધ અને સાકરની જેમ આત્માની સાથે એકમેક થયેલા કર્મોને ખસેડવાં, ભગાડવા, બાળી નાખવા અને ભસ્મીભૂત કરવાનું કામ આ તત્ત્વનું છે. | (૯) મોક્ષ તત્ત્વ : અને એક દિવસે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને આત્મા મુક્ત થાય છે. કમેના બે ભેદ છે. ૧. ઘાતી કર્મ, ૨ અઘાતી કર્મ. ઘાતી કર્મ – અનંત શક્તિના સ્વામી આત્માની સપૂર્ણ શક્તિઓને ઘાત કરનારું, દબાવી દેનારું કર્મ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયઃ આ ચાર ઘાતી કર્મ છે અઘાતી કર્મ-આત્માની અમુક શક્તિઓને જ દબાવે છે. કેવળજ્ઞાન મેળવવાને માટે ઘાતી કર્મોનોસ પણ શ્રય અનિવાર્ય છે, અને તે વિના કેઈ પણ જીવ મોક્ષ મેળવી શકતે નથી.
ઉપર્યુક્ત પ્રમાણે પ્રતિદિન, પ્રતિક્ષણ તની વિચારણા કરતાં તે શ્રમણોપાસકેમા “શંખ” નામને મહાથાવક અગ્રેસર હતું. તેને ઉત્પલા નામની મહાશ્રાવિકા ધર્મપત્ની હતી, જે