________________
પ૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કર્મવશ બનીને ગમે તેની સાથે કર્કશ શબ્દો બેલીને લેવાદેવા વગરનું શાબ્દિયુદ્ધ રમવાની આદત આ જીવાત્માને પડેલી છે. દેવ દુર્લભ માનવને અવતાર મેળવીને આત્મામાં પડેલી તે ખેટી આદતને સુધારવા માટે જ સૌથી પ્રથમ પ્રયત્ન કરે જોઈતું હતું, પણ અહંકાર સંજ્ઞાના પાપે ક્રોધ આવ્યા વિના રહેતું નથી અને ન પહોંચાય ત્યા શાબ્દિક ઝઘડાઓના બૃહમાં ગોઠવાઈ માણસ આર્તધ્યાન માલિક બને છે તથા અંતે પિતાનું અધઃપતન પિતાને હાથે જ નેતરી લે છે.
આ અવસર્પિણી કાળના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની વાણી ઉત્તરાધ્યયન સૂત્રમાં સંગ્રહાયેલી છે. તે સૂત્ર કહે છે કે “શબ્દ કલહ, જીભા જોડી, દંતકલેશ મહા પાપ છે, માટે તેને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરજે, કારણકે “વત્તાવો ઋણીનાશક:” શબ્દોના ઝઘડા, દાંતને કુલેશ, લક્ષ્મીને નાશ કરનાર છે, જેનાથી ચક્રવર્તિઓના માટલાનું પાણી પણ સુકાઈ જાય છે તે પછી ઓછા પુણ્યવાલા તમારા અમારા માટે શું કહેવાનું હોય! ( ૩ ) હું પ્રેમ હૃાારિ પ્રમવું યુદ્ધ (ભગ. પ૭૩)
પ્રેમ અને હાસ્ય-મશ્કરી કુતૂહલ, આદિથી ઉત્પન્ન થયેલ કલહ પણ જીવનમાં યુદ્ધનું કારણ બને છે. માણસનું જીવન સ્વાર્થોધ હોવાથી પોતાના પ્રેમપાત્ર વ્યક્તિ પાસેથી જ્યારે અમુક સ્વાર્થ નથી સધાતે ત્યારે પ્રેમમાથી કલહ ઉત્પન્ન થયા વિના રહેતું નથી, જે પિતાનાં વ્યક્તિત્વને ખારે ઝેર બનાવી દે છે. હાસ્ય-મશ્કરી આદિથી ઉત્પન્ન થતાં કલહ આપણી નજરે જ જોઈ રહ્યાં છીએ, વૃદ્ધો પણ કહે છે કે “રેગનું મૂળ ખાંસી અને કલેશનું મૂળ હાંસી”