________________
૫૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બળ, રૂપ તપ અને શ્રતને મદ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ માન અહંકારરૂપી કષાય પિતાના અસલી સ્વરૂપમાં આવીને જાતકને સર્વથા ઊંધે રસ્તે ચડાવીને બેહાલ કરી દે છે. તે સમયે નશામાં ચકચૂર બનેલા તેને એટલું પણ ખ્યાલમાં નથી રહેતું કે કેઈક ભવની હું આટલી બધી પુણ્ય સામગ્રી મેળવીને આવ્યો છું, માટે તે બધાય પુણ્યને સર્વથા સમાપ્ત કરાવનાર મદસ્થાનોને સેવવા ન જોઈએ. કેમકે–(૧) અનંત ભવામાં હલકી જાતિઓ મેળવ્યા પછી આ ભવમાં રાધાવેધની સમાન ઉચ્ચ જાતિ મેળવવા ભાગ્યશાળી થયે છું. (૨) તેવી રીતે અનંતાનંત હલકા, ગંદા અને અસભ્ય આચારવાળા ખાનદાનેમાં બેહાલ અવસ્થા ભેગવ્યા પછી જ ઉચ્ચ કુળ મેળવ્યું છે (૩) અજબ ગજબના દાન પુણ્ય કર્યા પછી જુદી જુદી જાતના લાભે મળ્યા છે. (૪) ઐશ્વર્ય એટલે ધન-ધાન્યસુદર વસ્ત્રો આદિની પ્રાપ્તિ ઓછા પુણ્યવાળાઓને થતી નથી. (૫) કેટલાય જીને અભયદાન, રેટીદાન, વસ્ત્રદાન આપ્યાના કારણે સુદર શરીર અને રૂપસ પતિ મળી છે. (૬) બુદ્ધિબળ મેળવવામાં કેટલાય ભવેની તપશ્ચર્યા કારણભૂત છે. (૭) ઉત્સાહ, વીર્ય, પરાક્રમ આદિ પણ બધાઓને એટલે પુણ્ય વિનાનાઓને મળતા નથી. (૮) ગુરૂઓના ચરણમાં રહીને સંયમ અને તપધર્મની આરાધનાના ફળરૂપે જ્ઞાનશક્તિ સાંપડે છે.
મને જ્યારે ઉપરની બધી વાતે ઓછાવતા અંશે મળી ગઈ છે તે મારે જાતિમદ, કુળમદ, લાભમદ, ઐશ્વર્યમદ, બળમદ, રૂપમદ, તપમદ અને ઋતમંદ કરીને આવનારા અનંત ભવોને શા માટે બગાડવા? આમ વિચારીને તે જાતક પાપ સ્વરૂપ અભિમાનના ત્યાગ માટે જ પ્રયત્નશીલ રહેશે. -
(૧૦) મચાવશે વા:-સમજદારીપૂર્વક માયાને ત્યાગ