________________
શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨
પ૭૭ કેઈના કાન, કેઈની ચામડી, કેઈની જીભ કે મેઈના મનને કે તેની પ્રવૃત્તિને તથા શ્વાસોશ્વાસ ઘાત કર, છેદ કર અથવા કેઈને ભૂખે મારવે, દુઃખી બનાવો આદિ પ્રાણાતિપાત છે. પ્રાણાતિપાત સ્વધર્મ નથીઃ
આ પ્રાણાતિપાત જીવને સ્વભાવ (સ્વધર્મ) હોઈ શકે નહીં. કેમકે જેના માટે જીવાત્માને કંઈક કરવું પડે તે સ્વધર્મ નથી પણ પરધર્મ છે, પ્રાણાતિપાતાદિ ક્રિયામાં જીવમાત્રને વિશેષ પ્રવૃત્તિ કરવાની ફરજ પડે છે, તે વિના કેઈપણ
જીવને ઘાત, હનન, દુખત્પાદન, પીડન, મારણ, તાડન, આક્રમણ આદિ થતું નથી માટે જ પ્રાણાતિપાત (જીવહિંસા) કેઈ કાળે સ્વધર્મ નથી, પણ પરધર્મ જ છે અને “ઘર મથાવ એટલે કે પ્રાણાતિપાતાદિમાં મરવું તે અત્યંત ભયાવહ છે. કેમકે બીજા પ્રાણીને મારનાર જ બીજી ભવમાં યમદુતનો માર ખાય છે, ભૂખે મારનાર ભૂખે મરે છે, રેવડાવનાર રેવે છે, બીજાના હાથ પગ આંખ-કાન કે ચામડીને કાપનારને જ આવતા ભવમાં પગ કપાય છે, હાથ છેટાય છે, આંખ સર્વથા કમજોર હોય છે, કાને બહેરે હોય છે, પગનો લંગડો ઈત્યાદિક ફલાદેશેને જોયા. પછી નિશ્ચિત થાય છે કે પ્રાણાતિપાત ધર્મ નથી, ચારિત્ર નથી પણ મહાભયંકર પાપ છે, માટે તેનું વિરમણ કરવું, કરવાની ટ્રેનિંગ લેવી તેને જ ધર્મ કહેવાય છે, ચારિત્ર-સદાચાર કહેવાય છે.
અને જેના માટે આત્માને કંઇપણ પ્રયત્ન કરવાનો રહે તે નથી માટે પ્રાણાતિપાત વિરમણ, સ્વધર્મ છે, તેથી જ “રુવા નિવર એટલે અહિંસા ધર્મની આરાધના કરતાં કરતાં મૃત્યુ પણ થાય તે શ્રેયસ્કર છે.