SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ તક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨ ૫૭૫ ચારિત્રમેહનીય કર્મના ક્ષય કે ક્ષપશમથી જીવના શુદ્ધ કે શુભ પરિણામ વિશેષને ચારિત્ર કહે છે. સંપૂર્ણ પ્રકારે પાંચે ઈન્દ્રિયોના, ચારે કષાયેના, ત્રણે કેગના આશ્રવ માર્ગને અવરોધ કે વિરામ કરાવે તે સમ્યક ચારિત્ર છે. ગત ભના ઉપાર્જિત આઠે કર્મોના ઢગલાને મર્યાદિત કરાવે કે નાશ કરાવે તે ચારિત્ર છે. આત્મામાં પાપોની વિરતિ જેનાથી થાય તે ચારિત્ર છે. અથવા બાહ્ય દષ્ટિએ અહિંસક અનુષ્ઠાનને ચારિત્ર કહે છે. ઉપર પ્રમાણેની વ્યાખ્યાઓથી ચારિત્રનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. આજને આબેએ સંસાર ચારિત્ર-સદાચાર–પવિત્રાચારઆદિ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, પણ ચારિત્રનું તાત્પર્ય ન જાણવાના કારણે બીજી બાજુ તેમના જીવનમાંથી માંસજન, શરાબપાન, પરસ્ત્રી કે વેશ્યાગમન, જુગાર, કંદમૂળભક્ષણ, અનંતકાય, ભાંગ–અફીણ કે તમાકુ સેવન આદિ દુર્ગુણેને અંત દેખાતું નથી. ત્યારે જૈન શાસનને શ્રદ્ધાન્વિત કરનાર ભાગ્યશાળીને કર્મોને ઉપદ્રવ શક્તિહીન થવાના કારણે પાપોના સમૂળ ત્યાગપૂર્વકનું સર્વવિરતિ ચારિત્રધર્મ સ્વીકાર કરે છે અને ગુરુ આજ્ઞા, સ્વાધ્યાય, તપ, જપમાં મસ્ત બનીને તેની પાલના કરી આખાએ સંસારને મિત્ર બને છે. આવે ચારિત્રધર્મ જીવનમાં શી રીતે આવે? જવાબમાં ભગવંતે કહ્યું કે “griાવાય તેમને રા” એટલે કે –પ્રાણાતિપાતનું વિરમણ જ ચારિત્ર છે. પ્રાણાતિપાત એટલે શું? • प्राणानां प्राणस्य वा अतिपातः हनन मारण छेदन
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy