SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦ મુંઃ ઉદ્દેશકર પ૭૩ શબ્દો કેટલા છે? અને કયા કયા અર્થમાં ગોઠવાયા છે તે જાણીએ. જેથી સમ્યગુજ્ઞાનની વૃદ્ધિ થતાં સમ્યગદર્શન અને ચારિત્રમાં પણ શુદ્ધિ આવવા પામશે. (૧) ઇન્મે વા:–અહીં અને આગળ કહેવાતા પર્યામાં વાને અર્થ વિકલ્પ અર્થમાં જાણ. ગતિશીલ જીવ અને પુગલને સહાય કરનાર “ધર્મ છે, એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્યને લઈ ગતિશીલ પદાર્થો ગતિ કરે છે અકાકાશમાં આ દ્રવ્ય ન હોવાથી ત્યાં કેઈને જવા માટે પ્રશ્ન જ રહેતું નથી. (૨) ઘરના વાડ-દ્રવ્યમાત્ર પ્રદેશાત્મક હોવાથી અહીં અસ્તિને અર્થ પ્રદેશ અને કાયને અર્થ સમૂહ સમજો. એટલે ધર્માસ્તિકાયને અસ ખ્યાત પ્રદેશ છે. લેકાકાશને પણ અસંખ્યય પ્રદેશ હોવાથી અકાકાશમાં આધારને અભાવ હોવાથી આધેય (જીવ તથા પુદ્ગલે) ત્યાં હર હાલતમાં જઈ શકતા નથી. + (૩) નr રમવા –એટલે પ્રાણાતિપાતનું વિરમણ (ત્યાગ) જ ધર્મ છે, સંસારને પ્રત્યેક માનવ ધર્મ શબ્દનું ઉચ્ચારણ કરે છે અને જીવનમાં યથાશક્ય ધર્મને આરાધે છે. પ્રશ્ન એ છે કે અહીં ધર્મ ક્યો લે? જવાબમા કહેવાયું છે કે જે ક્રિયામાં અનુષ્ઠાનમાં, દેવપૂજામાં, પ્રાણાતિપાતનું વિરમણ થતું હોય તે ધર્મ છે અને તેવા ધર્મની આરાધના જ માનવ માત્રનું ક૯યાણ કરાવવામાં સમર્થ છે. જે ચારિત્રધર્મને સ્વીકાર કર્યા વિના પ્રાણાતિપાતનું વિરમણ થવું સર્વથા અશક્ય છે. | માટે ચારિત્ર જ ધર્મ છે. ચારિત્ર કેને કહેવાય? તેની વ્યાખ્યાઓ જુદી જુદી રીતે સમજીએ તે આ પ્રમાણે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy