________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૧
૫૬૭ પાપસ્થાનકમાં નથી એટલે કે તેમાં તત્પર નથી. કદાચ હોય તે પણ કિંચિકર છે. જ્યારે અસયતો તેનાથી વિપરીત જાણવા.
જે અસંની પંચેન્દ્રિય છે, તેઓને તેવું જ્ઞાન નથી હતું કે અમે બીજાઓ દ્વારા હણાઈ રહ્યાં છીએ કે તેઓ અમારા ઘાતક છે અને જે સંની પંચેન્દ્રિય જીવે છે તેમને મનથી ખબર પડે છે કે અમુક જ અમારા ઘાતક છે અને અમે તેમનાથી હણાઈ રહ્યાં છીએ.
જંકશન સ્ટેશન પર જેમ ચારે બાજુથી ગાડીઓ આવીને ઊભી રહે છે તેમ સર્વાર્થસિદ્ધ જીથી લઈને ચારે ગતિના જી પંચેન્દ્રિય મનુષ્યાવતારને પ્રાપ્ત કરી શકે છે. તેઓ જઘન્યથી આન્તમુહૃતિક આયુષ્યવાળા છે અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા છે, જે સર્વાર્થસિદ્ધની તથા સાતમી નરકની અપેક્ષાઓ જાણવી અને મનુષ્યને જીવ ચારે ગતિ એમાં જાય છે.
અ૯પ બહુ સૌ માં પંચેન્દ્રિય જ ઓછા છે. ચાર ઇન્દ્રિય જી તેમનાથી વિશેષાધિક છે.
ત્રણ ઈન્દ્રિયવાળા અને બેઈન્દ્રિય જી ક્રમશઃ વિશેષાધિક છે.
આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ખુશ ખુશ થયેલા ગૌતમસ્વામીએ દ્રવ્ય અને ભાવથી વંદન કર્યું અને પિતાના આસને જઈ ધ્યાનસ્થ થયાં.
* શતક ૨૦નો ઉદેશો પહેલે પૂર્ણ van OnconocDERER