________________
શતક ર૦ મું : ઉદ્દેશક-૧
આ શતમાં નીચે પ્રમાણેના દશ ઉદ્દેશ છે.
બેન્દ્રિય જેની વક્તવ્યતા, આકાશ, પ્રાણાતિપાતાદિ, ઇન્દ્રિયેના ઉપચયની વક્તવ્યતા, અનંત પ્રદેશ સ્કંધ રત્નપ્રભાદિમાં અંતરાલ, પ્રયાગાદિબંધ, કર્મભૂમિ આદિની વક્તવ્યતા, વિદ્યાચારણાદિ, સેપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય માટેની વક્તવ્યતા; આ પ્રમાણે ક્રમશઃ દશ ઉદ્દેશ છે.
બેઈન્દ્રિય જીવો પહેલા શું સાધારણ શરીર બાંધે છે?
રાજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવાન મહાવીરસ્વામીને વંદન નમન કરવા માટે પર્વદા આવી, ધર્મોપદેશ થા. ત્યાર પછી ગૌતમસ્વામીજીએ પૂછયું કે, હે પ્રભે! ચારે પાંચ કે છ આદિ બેઈન્દ્રિય જીવે ભેગા મળીને પહેલા સાધારણ શરીર બાંધે ? પછી આહાર કરે ? તેનું પરિણામ કરે? ત્યારપછી વિશેષ શરીરનું બંધન કરી શકે છે?
જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! આ તારી વાત ઠીક નથી, કેમકે બેઈન્દ્રિય જીવે ભેગા મળીને આહાર કરતા નથી, પરંતુ જૂદા જૂદા રહીને એટલે કે એક એક રૂપમાં રહીને જ આહાર કરે છે, જુદા જુદા જ પરિણમન કરે છે, માટે તેઓ એક સાથે મળીને શરીરનું બંધન કરતા નથી પણ જૂદા જૂદા પોતપોતાના શરીરને બાંધે છે.