________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આ પ્રમાણે શ્રાવની નગરીના કેક નામે ચૈદ્યાનમાં ભગવંત સમવસર્યા.
તે સમયે, તે નગરીમા “શંખ” આદિ શ્રાવ-મહાશ્રાવકે મોટી સંખ્યામાં રહેતા હતા, જેઓ ધનિક, મહાવ્યાપારી અને મોટી હાટ- હવેલીઓના સ્વામી હોવા ઉપરાંત નાનાં મોટાં વ્રતને ધારણ કરીને યથાશક્તિ વ્રત પાળનારા હતા. અને જૈન શાસનની અત્યુત્કટ શ્રદ્ધાવાળા હોવાથી કોઈનાથી પણ ગાંજ્યા જાય, ડરી જાય તેવા ન હતા. પિતાની સમગ્ર બુદ્ધિ અનુસાર રહીને સવિવેકપૂર્વક પિતાનું જીવન સૌ ભૂત, પ્રાણીઓ, સર્વે અને આ માટે હિતકારી બનાવેલું હોવાથી ગામમાં પ્રતિષ્ઠાવાળા અને સૌને માન્ય હતા, આદરણય હતા. ન્યાયબુદ્ધિ જ તેમનું ધન હતું. સત્યવાદ અલંકાર હતા ગૃહસ્થાશ્રમની મર્યાદાવાળું અહિંસાવ્રત કવચ હતું, અને જિનેશ્વરદેવની આજ્ઞા જ તેમનું શસ્ત્ર હતું. તથા જીવાદિ નવતોના યથાક્ષાપશમ જાણકાર હોવાથી દિવસ અને રાત્રિનો મોટો ભાગ તેની ચર્ચા વિચારણા કરી નવું નવું જ્ઞાન મેળવવાની તમન્નાવાળા હતા. તે ચર્ચા નીચે મુજબ છે
(૧) જીવ તત્ત્વ : હલન-ચલન – હાનિ-વૃદ્ધિ આદિ ક્રિયાઓથી પ્રત્યક્ષ અને અનુમાનગમ્ય જીવાત્મા શરીરથી સર્વથા પૃથક્ છે, જે પંચ ભૂતાથી ઉત્પાદિત નથી, પાણીના પરેપિટાની જેમ ક્ષણિક નથી, મદ્ય આદિમાં રહેલી માદક શક્તિની માફક ભાડૂતી ચૈતન્યશક્તિવાળ નથી, અંગૂઠા કે જવ જેટ નથી, કઠપૂતળીની જેમ ઈશ્વરના કે બ્રહ્માના ઈશારે નાચનારે નથી, પરંતુ અનંત શક્તિને, સર્વતંત્ર વતત્ર, ચૈતન્યશક્તિથી પૂર્ણ સમુઘાતને છોડીને શરીર