________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ થવા લાગે છે, પારસ્પરિક, કૌટુંબિક, સામાજિક અને સાપ્રદાયિક કલુષિત ભાવનાઓનો અંત આવે છે. અને શુદ્ધ ધાર્મિક્તા પિતાની બધી કળાઓ સાથે ખીલવા લાગે છે. અને કાચી ઘડીમા જ કામીઓને કામ, ક્રોધીઓનો ક્રોધ, માયાવીઓની માયા, લેબીઓનો લેભ, અને અહકારીઓને અહંકાર પલાયન થાય છે. આળસ, નિદ્રા, તાદ્રા અને નિદાના નિવાસસ્થાને ઉપર તાળાં લાગે છે અને જનતા તીર્થંકરદેવના સમવસરણ તરફ આવવાને માટે ઉત્સાહિત થઈને ભાવપૂર્વક પોતપોતાના ઘેરથી પ્રસ્થાન કરે છે
અનાદિ અનંત સંસારમાં રખડપટ્ટી કરનારા જીવાત્માઓ ત્યાં સર્વથા અદ્વિતીય વસ્તુનું દર્શન કરે છે, શ્રવણ કરે છે, તેનો અનુભવ કરે છે અને સૌના હૈયા જાણે સમ્યક્ત્વના પ્રકાશમાં, જ્ઞાનની ગંગામાં અને સમ્યફચારિત્રના વેશ–પરિ ધાનમાં અલૌકિક આનંદનો અનુભવ કરે છે. અને માનવના મનમાં અનાદિ કાળથી રહેલા વેર-ઝેર–ઈર્ષ્યા–અદેખાઈમમત્વ આદિ આત્મઘાતક દુષણોની છેલ્લી વિદાય થાય છે.
શ્રાવસ્તી નગરીમા ચાતુર્માસ માટે સ્થિરવાસ થયેલા ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમા કરેડની સંખ્યામાં દેવ-દેવેન્દ્રો, દેવીઓ-ઈન્દ્રાણીએ પોતાના જીવનની ધન્યતા અનુભવી રહ્યા હતાં. દેશ-દેશાન્તરથી આવેલા રાજા-મહા રાજાઓ. શણીઓ, રાજપુત્રીઓ, શેઠ-શેઠાણીએ મહાવીરસ્વામીનાં ચરણેમા મહાવ્રત સ્વીકારીને પોતાનું કલ્યાણ કરતા ધન્ય બની રહ્યા હતા. કેટલાક ભાગ્યશાળીઓ ગૃહસ્થાશ્રમમાં રહીને દેશવિરતિ–શ્રાવક ધર્મની આરાધના કરવામાં સદેવ પ્રયત્નશીલ હતાં. આ પ્રમાણે અનેક આત્માઓને ધર્મ પમાડીને