SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ રાતક ૧૯ મું: ઉદ્દેશક–૫ ૫૩૯ વેદના ભેળવાય તેને નિદા કહે છે અથવા સમ્યગુ-વિવેકપૂર્વક જે વેદના ભેગવાય તે નિદા છે. - નરક નિગદમાં રહેલા જીવોથી યાવત તીર્થંકર પદને ભેગવનારાઓને પણ કરેલાં કર્મો નિમિત મળતા ઉદયમાં આવ્યા વિના રહેતા નથી. તે સમયે કર્મોનું વેદન શી રીતે કરવું ? તે આ પ્રશ્નનો આશય છે. કારણ કે “વારત સર્વ નજwવન્ન” સુખ-દુઃખ, સંચાગ-વિયેગ, હર્ષ–ગ્લાનિ, જીવન-મરણ, હાનિ-લાભ, હસવું –રડવું, આદિ શ્રદ્ધોના અનુભવમાં જીવ માત્રના પિતાના જ કરેલાં કર્મો કારણભૂત છે. જે સમયે પ્રાપ્ત થતાં ઉદયમાં આવવાના જ છે અથવા જીવ માત્રને પ્રતિ સમયે જે નવાં નવાં કર્મોનું બંધન થાય છે તેમ તેમ બંધાયેલા કર્મોને ઉદય પણ નિયત છે. તેવા સમયે ઉદયમા વર્તતાં કર્મોને શી રીતે ભેગવવા? જેથી જૂના કર્મો ખપે અને નવાં કર્મોનું બંધન અટકે તેવી વિચારણા કરવી તેને જ “નિદા” કહેવાય છે. “નિયત ફાયતિ સામાન ઘરતીતિ નિવા” નવાં પાપ કર્મોથી આત્માને બચાવ અને શે તે “નિદા” છે. , - નિકાચિત પાપકર્મોને ભાર માથા પર લઈને નરકમાં રહેલા કેટલાક નારકેની જ્ઞાનસંજ્ઞા સમાપ્ત થતી નથી. જેઓ સંજ્ઞી જીવની પર્યાયથી મરણ પામીને નરકમાં ગયેલા છે તેઓ સમ્યગ વિવેકપૂર્વક પિતાના કરેલા કર્મોને અને કેમેને મારને સહન કરે છે. તથા અસંસી મૂઢ અવસ્થામાં મરણ પામીને જે નરકમાં ગયાં છે તેઓ વિચારી પણ શક્તા નથી કે “અમારાથી ભે ગવાતે આ દુઃખને ભાર કયા કર્મોને “આભારી છે?’ માટે હે ગૌતમ! મેં આ પ્રમાણે કહ્યું કે કેટલાક નાર જ્ઞાનપૂર્વક અને કેટલાક અજ્ઞાનપૂર્વક વેદે છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy