________________
પ૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ નથી. માનવતારમાં જેમનાં નિમિતે મહાભયંકર કર્મો કર્યા તે પણ નરકમાં જતાં પોતાના પતિને, પિતાને, પુત્રોને બચાવવા માટે કે વેદનામાં ભાગ લેવા માટે ત્યાં જઈ શકતા નથી, કેમકે સૌના હાથમાં આયુષ્ય કર્મની એડી પડી છે, માટે જ કપાલને કૂટ, આંખમાંથી શ્રાવણ ભાદ વરસાવતે તથા ચેથી નરકમાં ત્રણ પ્રકારની મહાભયંકર વેદનાઓને ભાગવત અયોધ્યાને રાજા લક્ષ્મણ કહે છે –
" मया परिजनस्यार्थे कृत कर्म सुदारुणम् ।।
gી તેન ઢg જતાતે મોતન: . ”
સારાંશ કે જે સીતાજીની રક્ષા માટે ભયંકર રણમેદાન રમીને લાખ કરોડે માણસોને મતના ઘાટ ઉતાર્યા, તે સીતાજી અત્યારે ઈન્દ્રપદ ભોગવી રહ્યા છે જે મોટા ભાઈ રામચન્દ્રજીને પિતાજી માફક સમજી તેમનાં ચરણેને ભક્ત બન્યા, તેમને પ્રસન્ન રાખવા માટે મેં શું નથી કર્યું ? પણ હાય રે ! મારા કર્મ–અજ્ઞાન–મેહ-માયા. આજે રામચન્દ્રજી કેવળજ્ઞાનની ભૂમિકામાં પહોંચ્યાં છે પણ નરકમાં રીબાતા પિતાના લક્ષ્મણ ભૈયાના માથા પર હાથ મૂકવા પણ તૈયાર નથી વનમાળ આદિ મારી પટ્ટરાણુએ અને બીજી બધી– રાણીઓને શણગારવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં હું કેટલે બધે મેહઘેલે બન્યું હતું, પણ વાહરે સ સાર! આજે એકેય સ્ત્રી મને આશ્વાસન દેવા માટે તૈયાર નથી. ઈત્યાદિ કારણોને લઈ નારક જી મહાવેદનાવાળા હોવાથી ત્રીજે ભગે તેમના માટે નથી.
(૪) અલ્પ નિજેરાવાળા હોવા છતા પણ નારકે અલ્પ વેદનાવાળા ન હોવાથી ચોથા ભાગોમાં પણ તેઓ આવી શક્તા નથી.