________________
પર૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની જાણવી. તેજશ્નકાયિકેની ત્રણ અહોરાત્ર જાણવી. મરીને તિર્યંચગતિમાં તથા લેશ્યા ત્રણ જાણવી. વાયુકાયિકેને વૈક્રિય, વેદના, કષાય અને મારણાંતિક સમુઘાત ચાર જાણવા, બાદર નિગાદ વનસ્પતિકાયિક જે લેકના મધ્યમાં છે તેમને આહાર છ દિશાને જાણ. પૃથ્વીકાયાદિની અવગાહનાનું અલ્પ–બહુત્વ :
ઉપર્યુક્ત પાંચ સ્થાવરે, સૂક્ષ્મ–બાદર–પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે ચાર પ્રકારના છે. તેમની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવગાહના કેની કેનાથી વધારે ?
જવાબમાં કહેવાયું છે કે પર્યાપ્ત સૂક્ષ્મ નિગદની અવગાહના સૌથી થેડી છે.
અપર્યાપ્ત સૂમ વાયુકાયિની અવગાહના તેનાથી અસંખ્યાત ગણી વધારે છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકેની જધન્ય અવગાહના અસંખ્યાત ગુણ વધારે. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની તેનાથી અસંખ્યાત ગુણ વધારે. અપર્યાપ્ત બાદર વાયુકાયિની, પર્યાપ્ત બાદર અગ્નિકાયની, અપર્યાપ્ત બાદર અપૂકાયની, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયની પર્યાપ્ત તથા અપર્યાપ્ત પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય તથા બાદર નિમેદની ક્રમે ક્રમે અસ ખ્યાત ગુણ વધારે છે. અને પરસ્પરમાં સરખી છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગદ અસંખ્યાત ગુણ છે. તેથી અપર્યાપ્ત સૂમ નિગોદની