________________
શતક ૧૯ મું : ઉદ્દેશક-૧
દશ ઉદ્દેશાઓથી પૂર્ણ આ શતકમાં નીચે પ્રમાણેના વિષયે ચર્ચાયા છે. વેશ્યા, ગર્ભ, પૃથ્વી, મહાશ્રવ, ચરમ, નિવૃતિ, કરણ અને વનચરસુર નામે દશ ઉદ્દેશ છે.
રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતા, અલયકુમાર મત્રી હતું, ચેલણ રાણી હતી, જે જૈન ધર્મની પરમ ઉપાસિકા હતી. તે કાળે તે સમયે ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગામ વિહાર કરતા, રાજગૃહી નગરીમાં પધાર્યા, સમવસરણની રચના થઈ. ધર્મોપદેશ થયે અને જીવમાત્ર અનાદિકાળના મિથ્યાત્વને ત્યાગી સમ્યકત્વને પામે એ આશયથી * ગૌતમસ્વામીએ પૂછયું અને ભગવાને જવાબ આપ્યો.
હે પ્રભે ! લેશ્યાઓ કેટલી સંખ્યામાં કહેવાઈ છે?
જવાબમાં પરમાત્માએ કહ્યું –ગૌતમ લેશ્યાઓ છ ની સંખ્યામાં છે. પ્રજ્ઞાપના સૂત્રના ચતુર્થ ઉદ્દેશાના લેણ્યા પ્રકરણમાંથી જોઈ લેવાની ભલામણ કરી છે
“લેશ્યા એટલે શું...?
આ વિષય પહેલા ભાગમાં સારી રીતે ચાલે છે. કર્મો આઠ છે, તેમાં લેસ્થાઓને સમાવેશ થતો નથી, કેમકે ઘાતિકર્મોના નાશ પછી કેવળીને પણ વેશ્યાને અભાવ નથી અને સંપૂર્ણ કર્મોના નાશમાં તે વેશ્યાને અભાવ છે, માટે