SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦ ૫૦૫ બગાડનારી છે, તે પછી તેવી અભક્ષ્ય કે અનંતકાય વનસ્પતિઓને ખાઈને મારું જીવન શા માટે બગાડવું ? (૪) જે વિલાસને માણતા મારા જીવનમાં જાતીય દૂષણે વધશે, કામ ચેષ્ટા ભડકે બળશે અને તે મારી વૃદ્ધાવસ્થાને બગાડીને ભય કર અસાધ્ય રોગોમાં પટકશે, જેથી મૃત્યુ અવસ્થા બગડ્યા વિના નહીં રહે, માટે ગુંડા જેવા વિલાસ મને છોડવાના નથી, તે પછી હું પોતે જ તેમને તિલાંજલી આપીને વિદાય કરૂં અથવા વિદાય કરવાનો પ્રયત્ન કરૂં. (૫) અને છેવટે મારા પુણ્યકર્મો સમાપ્ત થઈને આવતા ભવને માટે મને તે કરે તે પહેલાં જ હું સાવધાન થઈને તેમનો ત્યાગ કરૂં એમ સમજીને ભાગ્યશાળી સાધક ખાવાની, પીવાની, પહેરવાની કે વિલાવ્યોની સામગ્રીને મર્યાદિત અને સંયમિત કરશે જેથી પુણ્યકર્મોની જાહોજલાલીમાં પણ પોતાના આવતા ભવને સુધારવા માટે, તથા આ ભવની અધૂરી આરાધનાને આવતા ભવમાં પૂર્ણ કરી જન્મ–જરા-મૃત્યુના મુખમાંથી છૂટકે થાય તે માટે આરાધનામાં તૈયાર રહેશે આ પ્રમાણે વિચારણા કરીને સોમિલ દ્વિજ પિતાના ભેગોપભેગનું વિરમણ અર્થાત્ મર્યાદિત કરે છે (૩) અનર્થદંડ વિરમણ ગુણવ્રત: “અનાદિ કાળના કુસંસ્કારે છોડવા જોઈએ” આ શબ્દો બલવામાં જેટલા સરળ છે, તેના કરતાં આચરણમાં ઉતારવામાં ભલભલા સાધક આત્માઓ પણ પોતાના સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈને નીચે ગબડી પડ્યા છે, પછી ચાહે તે દ્રવ્યથી ગબડ્યા હાય કે, ભાવથી ગબડ્યા ડાય કે, દ્રવ્ય અને ભાવથી ગબડ્યા
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy