SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ નાતક ૧૮મું ઉદ્દેશક–૧૦ ૫૦૧ માટે ઔષધ, ખાનપાન અને રહેણીકરણમાં ફેરફાર થતાં પરિગ્રહને -વધાર્યા વિના છૂટકે નથી તેથી મૈથુનના સહચારી પરિગ્રહને કેવી રીતે વધારે ? તે પ્રશ્ન જીવાત્માને માટે મુખ્ય બને છે ત્યારે સંસારના ચારે બાજુ વ્યાપાર-રોજગાર વધારતો જાય છે અને લાખની માલમતા ભેગી કરી પોતાનું જીવન પૂર્ણ કરે છે પર તુ સમ્યક્ત્વના પ્રકાશમાં આગળ વધતા સોમિલના આત્માને સમજાય છે કે, સગડીમા નાખેલા કેલસાએથી આગ શાત થતી નથી, તેમ સેવાતા પાપ પણ પિતાની મેળે શાંત થવાના નથી તે માટે મારા ચાલુ વ્યાપારને છોડી બીજા બધાએ વ્યાપારને બધ કરી દેવા જોઈએ અને ચાલું વ્યાપારને પણ મર્યાદિત કરે પડશે. તે માટે દિશાઓમાં ગમન-ગમનને મર્યાદિત કરે છે એટલે કે જે બાજુ મારે જવાની આવશ્યકતા નથી ત્યા મારે શા માટે જવુ ? કેમકે સૂક્ષમ અને બાદર અનંત જીવાથી પૂર્ણ આ સંસારમાં જ્યાં પગ મૂકાશે ત્યા પાપ છે, જ્યા દૃષ્ટિ પડશે ત્યા પાપ છે તેમ સમજીને આજે જે દિશામાં ગયા વિના ચાલે તેમ નથી તેની છુટ રાખીને બાકીની બધી દિશાઓમાં ગમન અને આગમન શા માટે કરવું ? એટલે કે જે દિશાઓમા ન જવાથી વ્યવહાર અને શાસનના કાર્યને કેઈ પણ વાળે ન આવે તે તરફ જવાનુ તે દિવસને માટે છોડી દે છે અથવા પોતાના ઘરથી દુકાન પૂર્વ દિશામાં હોય તે બીજી દિશા તરફ હરવા ફરવાથી નિરર્થક જીવ હત્યા શા માટે કરવી અથવા કામ વિના તે બાજુ જવાથી મને ફાયદો નથી, ઘણા સાસારિક ઝઘડાઓથી પણ બચી શકાશે, એમ સમજીને ખાસ અગત્યના કામ સિવાય જવા આવવાનું બંધ કરી દે છે. અનાદિ કાળથી આ આત્માને સ્વૈચ્છિક હરવા ફરવાની આદત પડી છે. તેને મર્યાદામાં લેવા માટે આ પહેલ પુત્ર
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy