________________
૪૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વ્યાપાર, ભાષા કે તેલ માપમાંથી જૂઠાપણું સર્વથા કાઢી નાખીશ. આખરે તે માણસના પેટમાં બે રોટલા અને પહેર- વાના બે કપડાં ઉપરાંત સૂવા-બેસવા કે મરવા માટે પણ ૩ હાથની જમીન સિવાય બીજું કંઈ પણ કામે આવતુ નથી. તીજોરીમાં ગમે તેટલી સેનામહોર હોય તે તેનું “રાઈતું” કદિ બન્યું નથી અને નોટોની ચટણ ખાવામાં કામે આવતી નથી એમ સમજીને ભગવંત પાસે “સ્થૂલ અદતાદાન વિરમણ વ્રત” લઈને પોતાના જીવનને ઘણા પાપમાંથી મુક્ત કર્યું (૪) મિથુન વિરમણ:
અનંત ભવની રખડપટ્ટીમાં આ જીવાત્માએ અનંત જીવો સાથેના વિલાસ માણી લીધા છે. જેના ખતરનાક કુસંસ્કારે આત્મપ્રદેશના અણુઅણુમાં પડેલા હોવાથી મદિરાપાનના નશાવાળ માણસ જેમ બેઠા બેઠા ડેલ્યા કરે છે, તેમ આ ભાઈને પણ જેમ જેમ કુસંસ્કારેને ઉદય થાય છે તેમ તેમ મેહકર્મને નશે વધતો જાય છે, તે સમયે માતા-પિતા -મિત્ર છેવટે હિત શિક્ષા દેનારા ગુરુ દેવોને પણ સાંભળવા માંગતે નથી.
ગૃહસ્થાશ્રમ જીવનમાં ચારે બાજુથી આવનારા ઢગલાબંધ પાપોના મૂળમાં આ મૈિથુનપાપ રહેલું છે, જેનાથી તેના જીવનમાં, જીભમાં, મનમાં ફેરફાર થતા સર્વથા કંટ્રોલ આઉટ થઈને સંસારની સ્ટેજ પર બેફામ થઈને ફરતે હોય છે. ન કલ્પી શકાય તે પ્રમાણે તેની આંખના ઈશારા, બેલવાની ચાલાકી કે હાથ પગની ચેષ્ટાઓ જોવા જેવી થઈ જાય છે. કામદેવની નિશાળમાં ભરતી થયેલા આવા ભાગ્યશાળીઓ ઉપર જરા તીખી અને ઝીણી નજર કરીને તેમને તેમે જોશે તે -કામદેવની નિશાળના ભવાડા (કૌભાંડ) તમને પ્રત્યક્ષ જોવા મળશે.