SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ ૪૮૭ કરવું પડે તે પણ આજથી મિથ્યાભાષા કે વ્યવહાર કરીશ નહિં. જાણ્યા-બુઝયા વિના કેઈની વાતમાં હકારાત્મક કે નકારામક ભાવ પ્રદર્શિત કરીશ નહીં. તેમજ નજરે જોયેલા મારા શત્રુના પાપોને પણ પ્રકાશીત કરીશ નહીં. જુઠે ઉપદેશ સાક્ષી કે ક્િલેખ (ખોટા કાગળીયા) કરીશ નહીં. આ પ્રમાણે કરીને તે ભાગ્યશાળી જૂઠ બોલવાના કુસંસ્કારને મર્યાદિત કરે છે. તે -સમયે તે સાધકને એટલું પણ સમજવામાં આવશે કે “મારા બિલવાથી યદિ કલેશ થતું હોય, વધતે હેય, સાચી વાત કહેવાથી પણ કેઈનું હનન, મારણ કે રૂદન કરવું પડે અથવા “મારા વ્યવહારથી કેઈનું પણ જીવન જોખમમાં મૂકાય કે કેઈના શાપ મને લાગે કે મારે કેઈને શાપ દેવા પડે તેવા જૂઠા વ્યવહાર હું કરીશ નહી. એમ નિર્ણય કરીને તે મિલે ભગવાન મહાવીરસ્વામી પાસે મૃષાવાદ વિરમણ વ્રતને સ્વીકાર કર્યો. જીવિકા તૂટે નહીં, વ્યવહાર કલંક્તિ બને નહીં તેટલું ધ્યાન રાખીને સ્થૂલ રીતે મૃષાવાદનું વિરમણ સૌના જીવનનું કલ્યાણ કરાવનાર બને છે. (૩) અદતાદાન વિરમણ : આખે જ દેખતે ન હોય તેવો માણસ ઠોકર ખાઈ શકે, -નીચે પડી શકે અથવા કઈ વસ્તુ કોની છે? તેનું ધ્યાન ન હેવાથી નિર્દોષ ભાવે પણ એક બીજાની વસ્તુઓને હેરફેર કરી શકે છે. તેમ છતાં પણ તે અંધને પ્રત્યેક વસ્તુને સ્પર્શ કરાવ્યા પછી કે અમુક વસ્તુ અમુકની છે તે બાતમી આપી દીધા પછી તે અંધ માણસને ભૂલ કરતે જોવામાં આવ્યો નથી. અંધ બેબી પણ ગામના મેલાં લુગડા લે છે, નિશાન કરે છે, તળાવે છેવા જાય છે, ઉજળા કરે છે, અને જે કપડા જેવા
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy