________________
૪૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે, ગુપ્ત નાસ્તિક છે અને પરમાત્માપદનો કટ્ટર વૈરી છે. આ પ્રમાણે વિચારો આવતા સમિલ દ્વિજ દેવાધિદેવ ભગવંતના ચરણમાં ઢળી પડ્યો અને દ્રવ્ય તથા ભાવથી ચરણ વંદન કરીને શ્રદ્ધા સંવેગનો ભયે તે દ્વિજ પરમાત્માને કહી રહ્યો છે કે હે પ્રભે આપશ્રીની યથાર્થ વાણું સાંભળીને મારૂં મિથ્યાજ્ઞાન શાંત થયું છે, કેમકે “દષ્ટિ તેવી સૃષ્ટિ'. આજ સુધી હું સંસારને જીતવા માંગતે હતે, મારી પ્રતિષ્ઠા વધારવા માંગતો હતો, કારણ કે મિથ્યાત્વના કાળા રંગથી રંગાયેલી મારી દષ્ટિ સંસાર પર હતી, પરંતુ આજે મારી દૃષ્ટિ બદલાઈ અને સ સાર ઉપરથી ઉતરીને મારા આત્મા પર પડતાં જ મને જણાઈ આવ્યું છે કે “જ્યાં સુધી મારા ઉપર વિષય વાસનાની કાળી નાગણ ચક્કર મારી રહી હોય, ભેગા લાલસાની જીવતી ડાકણ મને સતાવી રહી હોય તથા કષાયરૂપી ભૂતડા જ મને સંપૂર્ણપણે ખતમ કરીને મારા પર જીત મેળવીને બેઠા હોય ત્યાં સુધી હું સંસારને શી રીતે જીતવાનું હતું ? ” માટે હે પ્રભે ! આજે આપશ્રીનાં ચરણોનો સ્વીકાર કરું છું. આપશ્રીનું પ્રવચન સદ્દઉં છું અને તેમ કરીને અત્યારે જ આપશ્રીને અનન્ય ઉપાસક બનું છું.
હે પ્રભે યદ્યપિ આપશ્રીનાં ચરણોમાં અત્યાર સુધી ઘણા રાજા-મહારાજા-તલવીરે, માંડલીકે, કૌટુંબિકે, ઈત્યે, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ અને સાર્થવાહ ઉપરાંત તેમની ધર્મપત્નીએ, પુત્રીઓ, અને પુત્રોએ પણ શ્રદ્ધા સંવેગપૂર્વક સર્વવિરતિ ધર્મને સ્વીકારી કૃતકૃત્ય થયા છે, તેમ છતા પણ હું સર્વવિરતિ ધર્મ સ્વીકારવા માટે સમર્થ નથી, તે મારા માટે શ્રાવક ધર્મને યથા ગ્ય ઉપદેશ આપીને કૃતકૃત્ય કરશે તેવી મારી માગણે છે.