________________
૪૭૮,
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે અને જ્ઞાન દર્શન ગુણ છે તેથી તેમાં ભેદ સ્પષ્ટ દેખાય છે, પરંતુ ભૂલવું ન જોઈએ કે ગુણો હંમેશા દ્રવ્યાશ્રિત જ હોય છે “ધ્યાશ્રિત TUIT: ' અર્થાત્ ગુણ વિના ગુણ હોતું નથી અને ગુણીમાં ગુણોની હાજરી ત્રિકાળાબાધિત છે. માટે આત્મ દ્રવ્યની સાથે જ્ઞાનાદિ ગુણોની કથંચિત્ અભિન્નતા પણ સ્વીકાર્ય છે આપણે જાણીએ છીએ કે જ્ઞાન અને દર્શન ગુણે ચૈતન્ય સ્વરૂપ જીવમાં જ હોય છે જડમા કેઈ કાળે પણ હોતા નથી. આ કારણે આત્મા જ્ઞાનમય અને દર્શનમય છે. તેમ છતાં પણ ઉપગના સમયની ભિન્નતા હોવાથી કેઈક સમયે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને કેઈક સમયે દર્શન સ્વરૂપ છે કેમ કે બને ઉપયોગ સાથે હોતા નથી, કદાચ તને શંકા થઈ શકે છે કે વસ્તુનું વિશેષ ગ્રાહિત્વ જ્ઞાનમાં છે અને સામાન્ય ગ્રાહિત્વ દર્શનમાં છે તે આ બને જૂદા જૂદા સ્વભાવના ગુણે એક આત્મામાં શી રીતે રહી શકતા હશે ? જવાબમાં એમ કહેવાયું છે કે અપેક્ષા બુદ્ધિને સમજ્યા વિના શાસ્ત્રોના અર્થો મનઘડત કરવાથી માનવની બુદ્ધિમા ભ્રમ, વિતંડાવાદ, સશયવાદ અને વિપરીત વાદિતાની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી
એક દ્રવ્યમાં એક-બે નહી પણ અનંતાનંત ધર્મો પણ બુદ્ધિગમ્ય છે, જેમ એક જ માનવમાં પોતાના પિતાની અપેક્ષાએ “પુત્રત્વ” ધર્મ વિદ્યમાન છે, તેમ પોતાના પુત્રની અપેક્ષાએ “પિતૃત્વ” ધર્મ પણ શી રીતે નકારી શકશે ? આ પ્રમાણે દ્રવ્યમાં અનંત પર્યા(ધર્મો)ની વિદ્યમાનતાની સિદ્ધિ અપેક્ષા દૃષ્ટિથી શક્ય બની શકે છે. ( બીજા ભાગમાં આ વિષય વિસ્તારથી ચર્ચાઈ ગયા છે.)
અક્ષય પણ છું” આને આશય આ છે કે જીવ અસંખ્યય પ્રદેશ છે અને તે પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ કેઈકાલે