SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્વાર્થ સધાય તેવા અર્થની તરફ આંખમીંચામણું કરીને શબ્દોની પકડમાં ફસાય છે અને પિતાનું અહિત કરે છે. માટે મિલને સ્યાદ્વાદની ભાષામાં જવાબ દેવે જોઈએ. માણસ માત્ર એક બીજાથી ઉચ્ચારેલા શબ્દોને આશય સમજે તે સંસારમાં અમૃતતત્વને પ્રાદુર્ભૂત થતાં સામાજિક જીવન વિષમુક્ત બનવા પામશે. સંસારમાં સામેવાળે માણસ મિથ્યાત્વ, માન, કે અવિનયની અસર તળે દબાયેલું હોવાથી તે તેવી રીતના જ શબ્દોને પ્રવેશ કરશે, એટલા માત્રથી તેની સાથે વાગ્યુદ્ધ કે વિતંડાવાદ કરવાની આવશ્યકતા નથી. માટે પ્રત્યેક પ્રસંગ સમજુતી પૂર્વક હલ કરવાથી જીવનને આનંદ અને સંસારને સત્ય તત્વની પ્રાપ્તિ થશે. માણસનાં આંતર્ જીવનમાં વસ્તુને સમજવાને અપેક્ષાવાદ નહી હોવાના કારણે સામેવાળાની સારી વાતને પણ પહેલે તબક્કે ખેતી અને પૂર્વગૃહીત માની લે છે, ફળસ્વરૂપે વિતંડા વાદથી વિતંડાવાદ, પૂર્વગ્રહથી પૂર્વગ્રહ અને છલ-પ્રપંચ કે ઝગડાની આદતમાંથી ઝગડા જ ઉભા થાય છે. કેટલીકવાર માણસના મસ્તિષ્કમાં સ્યાદ્વાદ સમજવાની શક્તિ હોય છે, પરંતુ મસ્તિષ્ક અને હૃદય આ બને જુદા જુદા હોવાથી જ્યાં સુધી કઈ પણ વાત હુદયના અણુમાં ઉતરવા ન પામે ત્યાં સુધી મસ્તિષ્ક શક્તિઓના ગમે તેટલા વિકાસથી પણ સંવાદને જન્મ થતું નથી. કેઈક સમયે મસ્તિષ્કથી સમજેલી વસ્તુ હૃદય પાસે પહોંચી શકે છે અને તેને માનવા માટે હૃદયની તૈયારી પણ હોય છે. પરંતુ હૃદયના કેઈ ખૂણામાં અમુક વસ્તુ નીમાયા, પિતાને સત્ય મનાવવાની દાનત, બીજાને પરાસ્ત કરી દાવપેચ રમવાની પોતાની જુની આદતે, સત્તાવાદને મેહ કે પિતાને ઉત્કર્ષ બતાવવા માટેની
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy