________________
શતક ૧૮ મુ : ઉદ્દેશક-૧૦
૪૭૩
દઈશ. ત્યાર પછી યદિ એમ કહેશે કે ‘હું અક્ષય છે, વિનાશી છું” તે તેમને પૂછીશ કે અત્યાર સુધી તમે અન તીવાર જન્મ્યા અને મર્યા છે અને અક્ષય તથા અવિનાશીમાં તે જન્મ અને મૃત્યુ થતા નથી, માટે તમારૂ અક્ષયત્વ અને અવિનાશીત્વ આશ્ચર્ય પમાડે તેવા છે. કેમ કે પેાતાના મૂળ સ્વભાવના ત્યાગ કર્યાં વિના કોઈ પણ અવ્યય હાતા નથી અને પર્યાયેાથી તા સર્વે વ્યય છે. તેથી મહાવીર અવ્યય છે તે કેમ માની શકાય? અને એક રૂપે પણ કોઈ સ્થિત હતેા નથી માટે મહાવીરસ્વામી યદિ કહેશે કે ‘હું અવસ્થિત છું ’ તે મારે જવામ રહેશે કે પ્રત્યેક પદાર્થમાં રૂપાંતર થતા હોય ત્યારે કોઇની અવસ્થિતા કેટલી ? આમ ત દ્વારા હું ભગવાનને નિરુત્તર કરી દ્રુઇશ.
અક્ષય, અવ્યય અને અવસ્થિત આ પ્રશ્નો આત્માને નિત્ય પક્ષ લઈને કર્યાં છે.
હવે અનિત્ય પક્ષ લઈને પૂછે છે કે હે પ્રભુ ! આપ શ્રીમાન અનેક ભૂત–ભાવિ અને વર્તમાન પર્યાયવાળા છે? અનિત્ય પક્ષ સ્વીકારીએ તે જ આત્માના ભૂતકાલીન પર્યાચા, વત માન પાંચે અને ભવિષ્યમાં થનારા પર્યાયાની સંગતિ ખની શકે છે. તે વિના એક જ આત્મા-ભૂત-ભાવિને પાંચાને કેવી રીતે પ્રાપ્ત કરશે ?
સેામિલની માનસિક અવસ્થાને ખ્યાલ કરીને ભગવતે કહ્યું સેામિલ ! સૌંસારમાં આવા શાબ્દિક વિતંડાવાદો જ્યાં સુધી ઉપમિત થતા નથી ત્યાં સુધી માનવ સૌમ્ય, સામ્ય અને સમાધિસ્થ થતા નથી. અભિગ્રહિત મિથ્યાત્વના પ્રભાવથી સમજદાર માણુસ પણ કેવળ શબ્દોની વ્યુહ રચનામાં ગાઠવાઈને તત્વના અસલિયતથી હજારો માઇલ દુર રહે છે, અને