________________
४६८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૮ અનાદિકાળના દેની આદત જેનાથી મટે ૯ આત્મામાં જ્ઞાનાદિ ગુણોને સ્થિર કરાવનાર. ૧૦. જ્ઞાનશૂન્ય આત્માને જ્ઞાનમય બનાવનાર. ૧૧. મૂળ અને ઉત્તર ગુણોનું શુદ્ધિકરણ કરાવનાર ઉપર પ્રમાણેના ગુણોને પ્રાપ્ત કરાવે તે આવશ્યક છે.
ભગવતે કહ્યું હે મિલ! આ પ્રમાણે છ પ્રકારની મારી યાત્રા છે. તેને તું સમજ. યાપનીય એટલે શું?
ભગવંતે કહ્યું કે (૧) ઇન્દ્રિય યાપનીય, (૨) નઈન્દ્રિય યાપનીય એમ બે પ્રકારે મને યા૫નીય છે.
પ્રાકૃત ભાષાના “ના” શબ્દથી સંસ્કૃતમાં યાપનીય શબ્દ બન્યું છે. જે “ગાંવ જનૌ” ધાતુને પ્રેરકમાં “પુત્રને આગમ લાગ્યા પછી અનીય પ્રત્યય લગાડવાથી યાપનીય શબ્દની ઉત્પતિ થાય છે, જેને અર્થ જવા દેવુ –ગમન કરાવવું–મેકલી દેવું થાય છે.
અનાદિકાળથી આત્માના હાડવૈરી ઈન્દ્રિયે અને કષાયે છે. જેના પાપે આત્માએ અનંતભમાં મહાદુઃખને અનુભવ કર્યો છે. ઇન્દ્રિયે ઘડા જેવી હોવાથી, લગામ વિનાનો ઘોડો જેમ પિતાના માલિકને ખાડામાં નાખી દે છે, તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી લગામ વિનાની ઇન્દ્રિએ મેટામાં મોટા બ્રહ્મવાદી, અદ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી, વનમા રહી સૂકા પાંદડા ખાનારા અને સ્ત્રીઓનું પણ જેમણે જોયું નથી તે બધાઓને દુર્ગતિના ખાડામાં નાખી દીધા છે, તથા જ્યા