SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૭ ૪૪૯ તે સમયે રાજગૃહીમા “મદ્રક” નામે શ્રમણોપાસક એટલે શ્રાવક રહેતે હવે, યાવત્ જીવાદિ તત્વો સારે જ્ઞાતા અને જૈન શાસનને પરમ વફાદાર ભક્ત હતા. તે જ સમયે પરમપાવની જ્ઞાનરૂપી ગંગામાં જીવ માત્રને પવિત્રતમ બનાવતા ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા અને અનેકાનેક દેશથી, દિશાઓથી જનસમૂહ પરમાત્માની વાણી સાંભળવા માટે આવ્યું. આ વાત જ્યારે મક્ક શ્રાવકે સાંભળી ત્યારે પ્રસન્નચિત્ત થયેલે તે સ્નાનપાણી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી દેવાધિદેવને વંદન-નમન કરવા સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી પ્રસ્થાન કર્યું. જ્યાં પરમતાવલંબીઓ પિતાના ઘરેથી બહારના ઓટલે બેઠા હતાં, તેમની નજદીક થઈને જતાં મને જોયા પછી તેઓ તેમની પાસે ગયા અને આ પ્રમાણે બેલ્યા કે હે દેવાનુપ્રિય શ્રાવક! તમારે ધર્માચાર્ય શ્રમણ મહાવીરસ્વામી જે અસ્તિકા માટે વાત કરે છે તે શું સાચી હોઈ શકે? જવાબમાં શ્રાવકે કહ્યું કે કેટલાક પદાર્થો અદશ્ય હોવા છતાં પણ તેમનો અભાવ હોઈ શકતો નથી. જેમ પર્વતની ગુફામાં રહેલે અગ્નિ સૌને માટે અદશ્ય (અતીન્દ્રીય) છે તે પણ ધૂમાડાથી આપણે અગ્નિનું અનુમાન કરીએ છીએ તેમ ધર્માસ્તિકા પોતપોતાના અનુગ્રહાદિ કાર્યોથી અનુમાનિત થાય છે એટલે કે તે પ્રત્યક્ષ (ચક્ષુચર) ન હોય તે પણ તેમનાં કાર્યોથી તેમના સદ્ભાવની સત્તા માનવામાં વાંધો આવતો નથી. શ્રાવકે આ વાત આટલી સ્પષ્ટતાથી સમજાવવા છતાં પણ અભિગૃહીત મિથ્યાત્વના કારણે તેઓએ પોતાને આગ્રહ છેલ્લા નથી. પ્રત્યુત કહે છે કે હે શ્રાવક! તું જિનદેવને ઉપાસક
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy