________________
૪૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નક્કી કરેલાં આલંબનમાં એકાગ્રતા ધારવી તે પ્રણિઘાત છે નારક, અસુરકુમાર ચાવત સ્વનિતકુમાર સુધી જીવોને ત્રણે પ્રકારનું પ્રણિધાન જાણવું–સ્થાવરેને કાયપ્રણિધાન, વિકલેન્દ્રિયોને વચન અને કાય. શેને ત્રણે જાણવા.
દુપ્રણિધાન પણ એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયને ક્રમશ: એક બે અને શેષ જીવેને ત્રણ પ્રકારના છે.
સુપ્રણિધાન, મનુષ્યોને ત્રણ પ્રકારે જાણવું. શેષ ૨૩ દંડને સુપ્રણિધાન ન હોવાનું કારણ આપતા કહેવાયું છે કે સર્વવિરતિ અને દેશવિરતિ મનુષ્યને હવાથી ચારિત્ર છે. ચારિત્રારાધન છે. તે કારણે મનઃશુદ્ધિ હોવાથી સુપ્રણિધાનને સદ્ભાવ છે. મક શ્રાવક સંબંધી વકતવ્યતા અને ચર્ચા :
તે કાળ અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી, ગુણશિલક નામે ચૈત્ય હતું, તેનાથી વધારે દૂર નહીં અને નજદીક નહીં એવા સ્થાને અન્ય ગૃથિકે એટલે બીજા દર્શનને માનનારા પરિવ્રાજકે વગેરે રહેતા હતા, જેઓ પરસ્પર આ પ્રમાણેની ચર્ચા કરતાં હતા કે “કેવળજ્ઞાન પામેલા મહાવીરસ્વામી પચાસ્તિકાયની જે પ્રરૂપણ કરે છે તેને આપણે શી રીતે સાચી માની શકીએ ? આ બધી વાત સાતમા શતકના દશમા ઉદેશાની જેમ જાણવી. તે આ પ્રમાણે –પંચાસ્તિકાયમાંથી ત્રણને અચેતન અને અરૂપી- માને છે તથા જીવને સચેતન અને પુદગલને રૂપી માને છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કેઈને પણ આંખે દેખાતા પદાર્થો નથી માટે તે રૂપ છે? અરૂપ છે? આ બધી વાતે સુસંગત શી રીતે થાય?
.
-'