________________
૪૦
આ સમ્યકજ્ઞાનના મહાન કાર્યોની પાછળ આપે ઘણું જ મહેનત લીધેલ છે અને અત્યન્ત વિગ્ય મહાન સાહિત્યને બાળ જીવો માટે પણ ઉપયોગી બનાવેલ છે. આપશ્રીના પરિશ્રમ અને પુરુષાર્થને ધન્યવાદ ઘટે છે. આપને ધર્મ સ્નેહ સદા સ્મૃતિમાં રહે છે. ઉદયપુર (રાજસ્થાન)
–ભુવનવિજયજી ગણું જૈન ઉપાશ્રય,
અત્યારે વિજયભુવનરત્નસૂરિજી ભાદરવા વદિ ૭
આપના તરફથી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મળે છે, તે સાભાર સ્વીકાર કર્યો છે. ગ્રન્થ બહુ જ ઉપગી છે. પહેલે ભાગ પણ મોકલાવશે. નડિયાદ
-મુનિરાજ શ્રી લલિતવિજયજી મ. કારતક સુદિ 9
ભગવતી સૂત્ર સાર સંગ્રહના બીજા ભાગનું પ્રકાશન જદીથી કરવા બદલ સાચે જ તમે અભિનન્દન અને ધન્યવાદને પાત્ર છે.
દ્રવ્યાનુયેગના કિલષ્ટ વિષયને–સિદ્ધાંતને વફાદાર રહીને સમયાનુરૂપ પરિભાષા આપવા પૂર્વક જિજ્ઞાસુઓને રૂચિકર બને તે રીતે સ્પષ્ટ કરે તે કેટલું કઠિન છે એ તે એના અનુભવીઓ જાણે છે આ બેત્રની સફળતાના પાને ઘરની આપની પ્રગતિ અને આ વિષયનું ચિંતન ખુબ જ અનુમોદનીય અને આદર્શ છે. બીજા ભાગમાં વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ તત્વજ્ઞાનના નવનીત સમું છે અને સ્વાધ્યાયશીલ માટે પથદર્શક છે.