SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મું -ઉદ્દેશક–પ ૪૩૭ જે પછીના બીજા જ સમયે મરણ પામી તિર્યંચ અવતાર લેવાનું હોય તે બેમાંથી કઈ ગતિનું આયુષ્ય ભોગવશે ? જવાબમાં ભગવતે કહ્યું કે બીજ સમયે મરનારે નારક એના પહેલાના સમયમાં નારક આયુષ્ય ભોગવી રહ્યો છે અને તિર્યંચ આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. સારાંશ કે નરકના જીવને પહેલા સમયે મૃત્યુ પહેલા નરકાયુષ્યનું સંવેદન છે અને બીજા સમયે જે સ્થાને જવાનું છે ત્યાનું આયુષ્ય ઉદયમાં આવવાની તૈયારીમાં છે. આ રીતે મનુષ્ય માટે પણ જાણવું. - અસુરકુમારો પણ દેવાયુષ્યનું વેદન કરે છે અને ચવીને પૃથ્વીકાયમાં જવાનો હોય તે ત્યાનાં આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. વૈમાનિકો માટે પણ આજ રીતે જાણવું. પૃથ્વીકાયિક તે ચાલુ ભવનું આયુષ્ય ભોગવે છે અને મરીને પુનઃ પૃથ્વીકાયમા જવાનું હોય તે ત્યાંના પર્યાયનું આયુષ્યકર્મ ઉદયાભિમુખે કરે છે. મનુષ્ય પણ ગ્રહણ કરેલા ભવનું આયુષ્ય ભોગવે છે અને બીજા સમયે પુનઃ ત્યાં જ જન્મવાને હોય તે તે આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. અમુક દેવ ઈચ્છા પ્રમાણે વિદુર્વણ કેમ કરી શકતું નથી ? એક અસુરકુમાર પોતાની ઈચ્છા પ્રમાણેની સુન્દર વિદુર્વણા કરે છે જ્યારે બીજો અસુર તે જ દેવાવાસમાં રહેતા હેવા છતા પણ તેમ કરી શકતું નથી
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy