________________
४२४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા અને મહાવીર પ્રભુને વંદન-નમન કરીને આ પ્રમાણે પૂછયું કે હે પ્રભે! ભાવિતાત્મા કેવળી પિતાનાં જીવનમાં શેષ રહેલા વેદનીય–ગોત્ર અને નામ કર્મને વેદી રહ્યાં છે એટલે કે બાંધેલા કર્મોના રસને અનુભવ કરી રહ્યાં છે ત્યાર પછી પ્રદેશ અને વિપાકની આત્મ પ્રદેશથી નિર્જરા થાય છે. આ પ્રમાણે ત્રણે અઘતિ કર્મોની વેદના અને નિર્જરા થયા પછી પિતાના શેષ રહેલા આયુષ્ય કર્મના છેલ્લા ક્ષણ સુધી પહોચીને ઔદારિકાદિ શરીરને છેલ્લી તિલાંજલી દઈ રહ્યા છે તે શું? તે આયુષ્ય કર્મના છેલ્લા સમયમાં વેદન કરાતાં કમને “ચરમ કહેવાય છે અને પૂર્વના ત્રણે કર્મોનું વેદન કરાતાં તે કર્મો સૂક્ષ્મ હોવાથી સૂફમલેકને અવગાહિત કરીને રહ્યા છે?
ભગવંતે “હામાં જવાબ આપે છે.
અહીં પ્રશ્ન અને ઉત્તર એક જ સમાન હોવાથી પ્રશ્ન પિતે જ ઉત્તર રૂપે છે. નિરતિશય છદ્મસ્થ બે મુનિઓની નિજેરાને જાણે છે?
ત્યાર પછી માકંદીપુત્ર મુનિએ ભગવંતને નિરતિશય છાથને માટે પૂછયું છે અને સૂત્રકારે પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં પદના ઈન્દ્રિય ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જાણું લેવાની ભલામણ કરી છે. સારાશ કે બે મુનિઓના નિર્જરાના પુદ્ગલોમાં રહેલા ભેદને નિરતિશય છદ્મસ્થ જાણતો નથી પરંતુ જે વિશિષ્ટ અવધિજ્ઞાની છે તે નિર્જરાના ભેદને જાણે છે-જુએ છે. દેવમાં પણ વિશિષ્ટ અવધિજ્ઞાની દેવ તે ભેદને જાણે છે પણ સાધારણ દેવે જાણતા નથી. જ્યારે સાતે