________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૨
૪૧૭ માલિક અને ટ્રસ્ટમાં એટલે જ તફાવત છે કે માલિક પિતાની શ્રીમંતાઈને ઉપગ પોતાની ગૃહસ્થાશ્રમીને શણગારવાના અને પિતાના જાતભાઈ આદિની ગરીબાઈની પરવા કર્યા વિના પિતે એકલે જ કરનારો હોય છે. વ્યવહાર–ઈજ્જત-બડાઈ કે પોતાના પુત્ર-પુત્રીઓ શીઘ્રતાથી પરણી જાય તેટલા માટે ૧૫-૨૦ હજાર રૂપીઆ ખર્ચને પણ સમાજ પાસેથી માન– સન્માન અને સંઘવી તરીકેની “માળા”નું પરિધાન પણ પિતાના સ્વાર્થની ખાતરી કરી શકતો હોય છે. આવા પ્રકારનો શ્રીમંત દ્રવ્ય દયાને માલિક બની શકે પણ ભાવદયાળુ હોતે નથી, એ ભાઈસાબ જે કાંઈ કરશે, તેલ, લેવડ દેવડ કરશે આદિ ક્રિયાઓ પોતાના સ્વાર્થ પૂરતી જ કરશે. પિતાના નક્કી કરેલા સ્વાર્થની લક્ષ્મણ રેખાને ઉલ્લંઘી શકતું નથી.
જ્યારે પૂર્વ પુણ્યના ઉદયથી મેળવેલી શ્રીમંતાઈ ઉપર ટ્રસ્ટીપણાને હક રાખનારો ભાગ્યશાળી શ્રીમંત સૌથી પહેલા પિતાની શ્રીમંતાઈને ઉપગ કેઈપણ જાતના સ્વાર્થ રાખ્યા વિના કે બદલાની ચાહના વિના પોતાના જાતિભાઈઓના, નોકરિના, મુનીમેના કે ખેડૂતોના લાભાર્થે કરશે. આવા ભાગ્યશાળીઓ કીર્તિદાન કરતા ગુપ્તદાનમાં શ્રદ્ધા રાખનાર હોય છે. પિતાના જાતિ તથા સ્વામી ભાઈઓને માટે મકાન બાંધી દેનારા હોય છે.
કાર્તિક શેઠ પોતાની લક્ષ્મીને ટ્રસ્ટી હોવાથી તેનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે અક્ષરશઃ નોંધાયેલું છે “ જેમ પઢમા સળિયનગમ એટલે વણિક સમાજમાં કાર્તિક શેઠનું આસન સૌથી મોખરે પડતું હતું. શા માટે ? ‘णेगमटुसहस्सस्स बहुसु कज्जेसु य कारणेसु य कोडबेसुय एव जहा रायप्पसेण इज्जे चित्ते जाव चक्खुभूए'