________________
૩૯૫
શતક ૧૭ મું ઉદ્દેશક-૨ ઓની રજ પ્રતિસમયે ચેટતી જ હોય છે. જેમકે અનંતાનંત મનગમતા પદાર્થો પ્રત્યે રહેલે રાગ અને અણગમતા પદાર્થો પ્રત્યે રહેલે દ્વેષ સ સારીને અવશ્ય હોય છે, માટે કર્મોને નવન બધ થતા રહે તેમાં આશ્ચર્ય નથી. રાગ-દ્વેષ થવામાં કયું કારણ છે ?
જીવને રાગદ્વેષ શા માટે થતા હશે? એટલે કે અમુક શબ્દો ગમ્યા અને બીજા શબ્દ ન ગમ્યા. અમુક ખાનપાન જેવાં કે દૂધ, મલાઈ, રાબડી, બદામપાક, પરાપાક, આબા, કેળા, દાડમ, લવિંગ, એલાયચી આદિ દ્રવ્ય ગમ્યા અને મકાઈ, જુવાર, બાજરીના લુખા રેટલા ન ગમ્યા. ગુલાબ, હીને આદિ અત્તર અને સુગંધી પદાર્થો ગમ્યા અને ગંદા પદાર્થો પ્રત્યે નફરત આવી. જુવાન, મદમાતી અને રૂપવતી સ્ત્રીના સ્પર્શી તથા મુલાયમ વસ્ત્રો, ગાદલા, તકીયા આદિ ગમ્યા અને ડેસી, રેગિષ્ટ, કાળાવાનની સ્ત્રી તથા જાડા ખાદીના કપડા ન ગમ્યા. ગોરી ચામડીની રૂપવતી કન્યાઓને કે રંગબેરંગી કપડાઓમા ઢકાયેલી કુળવધુઓને જોવાનું ગમ્યુ તથા ખેલકૂદ-તમાશા ગમ્યા પણ કદરૂપી સ્ત્રી આદિ ન ગમ્યા, ઈત્યાદિક ગમવાનુ કે ન ગમવાનુ આ જીવને શા માટે થાય છે? તેના જવાબમાં માનવમાત્રના કર્મોને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવાબમાં જીવને એ વિશેષ “વેદ” લગાડ્યો છે, એટલે જીવમાત્ર સવેદ હોવાથી સરાગ છે, સરાગ હેવાથી સકર્મક છે અને સકર્મક હેવાથી રૂપી છે. : વેદ એટલે શું?
જેનાં કારણે રાગી પુરુષને મનગમતી સ્ત્ર, રાગિણી સ્ત્રીને