________________
૩૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રહેવાની નથી, તે પાંદડાઓ ખર્યા વિના શી રીતે રહેશે? માટે મારું કહેવું છે, ઝાડ પર ચડનારને પ્રાણાતિપાતિકી (જીવહત્યા જીવવધ) પાપ લાગે છે, તથા તેના પરથી મેટા ફળને નીચે પાડતા ભૂમિ પર રહેલા ભૂત-પ્રાણીઓ-છે અને સને પણ મર્યા વિના છુટકો નથી. અહીં વિકલેન્દ્રિય જીને પ્રાણ, વનસ્પતિને ભૂત, પંચેન્દ્રિયને જીવ અને શેષ રહેલાઓને ર કહ્યાં છે, કલ્પસૂત્રમાં રાષભદેવ ચરિત્રમાં ઉપરથી તાડફળ પડતાં સુગળમાથી એક પુરુષ મરી ગયો હતે. યદિ ઉપરથી પડતા, ફેકતા, મનુષ્ય જે મનુષ્ય મરી જતો હોય તે કીડા, મંછેડા–સાપ–વિંછુ ઉંદરડા શી રીતે બચવાના હતાં?
તાડવૃક્ષ ઉપર ચડેલે માણસ ઝાડને હલાવે છે, પણ ફળનું પતન તે ચલાયમાન કિયાની અપેક્ષા રાખ્યા વિના પિતે જ વજનદાર હોવાથી પિતાની મેળે પડે છે, તેવી અવસ્થામાં તે પુરુષને પહેલાની ચાર કિયા જ લાગશે, કેમકે ફળ પતનમાં પોતે (પુરુષ) કારણભૂત નથી, પણ જે જીવેના શરીરે વડે તાડવૃક્ષનું નિર્માણ થાય છે, તે મૂળના, થડને, નાની મોટી ડાળ આદિના જીને પાચે કિયાઓ લાગશે, સારાંશ કે યદ્યપિ તાડના ફળ કરતાં મૂળ-પત્ર-પુપ અને થડ આદિના
જૂદા છે, તે પણ એક બીજાના સહકારી અને સહચરી હાવાથી ફળપતનની ક્રિયામાં ઝાડના બધાએ જીવને પાચે કિયાઓનો સંબંધ સમજી લે યદ્યપિ બધાએ જીવો સાક્ષાત્ કારણભૂત નથી પરન્ત પરંપરાએ તે એક બીજી સાથે સંકળાયેલા છે.
- તાડવૃક્ષ પરથી પડેલું ફળ ઝાડ નીચે રહેલા પત્થરના થાંભલા પર પડે અને ત્યાંથી નીચે પટકાયા પછી ત્યાને જીતે