________________
૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
દુઃસ્થાન અર્થાત્ જે સ્થાનમાં વધારે ઠંડી પડે, ગરમીની મેસમમાં વધારે ગરમી પડે, માખી-મચ્છર આદિની વૃદ્ધિ થતી રહે તથા દુઃશય્યા–ઉચી નીચી જમીનવાળી શય્યાઓની પ્રાપ્તિ થાય, તથા ઊઠવું–બેસવું આદિ આસનોની પ્રાપ્તિમાં તેવા પ્રકારના દુઃખદાયી પુદ્ગલે મળતા જ રહે ઈત્યાદિ કાર્યોમાં અશાતાજનક કર્મો જ કારણરૂપે છે, જે જીવાત્માના જ કરેલા હોય છે. સારાશ કે પૂર્વભવના કરેલા તેવા પ્રકારના અશાતાજનક કર્મો જ યદિ જીવાત્માએ ન કર્યા હોત તે આ ભવમા તે દુખોની પ્રાપ્તિવાળા તેવા તેવા ગદાં સ્થાન પ્રાપ્ત થયા ન હોત.
યદિ આ કર્મો જીવાત્માએ ન કર્યા હતા અને દુઃસ્થાન આદિની પ્રાપ્તિ થાય ત્યારે “અકૃતાગમ એટલે ન કરેલા કર્મોને ભેગવવાની પ્રાપ્તિ થતાં સંસારની વ્યવસ્થામાં જ હાનિ થવાનો સંભવ રહે છે, પણ તેવું કઈ કાળે થયું નથી, થશે પણ નહીં. માટે કર્મો ચેતના જીવ અર્થાત્ પોતાના આત્માથી જ કરાય છે.
યદિ જીવાત્માએ જેવા તેવા પરિણામેથી તે તે અશાતાજનક કર્મો ન બાંધ્યા હેય? તે જીવને જ્વર (તાવ) શી રીતે આવે ? માથું શા માટે દુઃખે? બીજાના નિંદક અને કર્કશ શબ્દો શા માટે સાંભળવા પડે ? સ્થાને સ્થાને અપમાન શા માટે થાય? બીજાનું સારૂ કરવા જતાં ખોટું શી રીતે થાય ? ઇત્યાદિક કારણોથી જીવાત્માને ભયંકુર માનસિક કે શારીરિક ૮ અ ભોગવવું પડે છે. માટે કર્મો જીવની ચેતનાથી જ કરાયું છે.
- શતક ૧૬ નો ઉદેશે બીજો પૂરા દિ Ninnandronescoot