________________
૩ ૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જવાબમાં ભગવંતે કહ્યું કે જીવે ત્રણ પ્રકારે અધિકરણી છે.
જેની પાસે વ્યાપાર નથી, ખેતી નથી, પુત્ર નથી, સ્ત્રી નથી, પૈસે નથી તે જુવાન માણસ અથવા બાળક કે વૃદ્ધ માણસ આત્માધિકરણ કેવી રીતે બનશે ? જવાબમાં કહેવાયું છે કે નિમિત્તોની વિદ્યમાનતામાં જ પાપાચરણ કરાય છે તેવું નથી, પણ માનસિક, વાચિક કે કાયિક જીવનમાં પણ તે નિમિતેને મેળવવા માટેની મમતા હોય તે તે મમતા જ આત્માધિકરણ બની જાય છે. ખૂબ સમજી લેવાનું છે કે સંસાર કેઈને માટે મારક નથી પણ અજ્ઞાની માનવ તેની માયાને કેળવે છે, વધારે વજનદાર બનીને પોતે જ ડૂબે છે. બીચારી સ્ત્રીને નરક માર્ગને ખ્યાલ પણ નથી તે તે કઈને પણ નરકમાં શી રીતે લઈ જવાની હતી? પરન્તુ તેની સાથેની ભેગલાલસાની સત્તાવાળે જીવ પોતે દુર્બાન કરે છે અને નરકનો અતિથિ બને છે. ખાવાપીવાની વસ્તુઓ કેઈને ડૂબાડતી નથી, પણ આહાર સંજ્ઞાનો માલિક પિતે જ આસક્તિવશ બનીને ડૂબે છે. ઈત્યાદિક કારણોને લઈ જીવમાત્ર ત્રિકરણે આત્મધિકરણું બનવા પામે છે.
મુવમતિ વતનમ્” આ ઉક્તિના ગુલામ બનેલા ભાગ્યશાળીઓને તમે જાણી શકે છે ? તેઓ જ્યારે ને ત્યારે
ચડ જા બેટા શૂલી પર ખુદા તેરા ભલા કરે” આમ પાપપુણ્યને ભેદ જાણ્યા વિના કાઈ ને કાંઈ જીભને ઉપગ ઉંધે રસ્ત કરતા કરતા બક્તા જ હોય છે કે કેમ તમે કાંઈ કરતા નથી? આ બધી જમીન ખરીદી લેને? અને આ ખાલી જમીન પર બંગલે બંધાવી લેને ? તમે ફેકટરી કરવાના હતાં