________________
'
૩૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
નિમિત મળે તે પાપે તરફ નજર જાય તે સ્વાભાવિક છે. પરંતુ નિમિત ન હાય ત્યારે પાપ શી રીતે લાગે ? જવાખમાં જૈન શાસન કહે છે કે અનત સંસારમાં રખડતાં અને અગણિત શરીરને ધારણ કરતાં જીવાત્માએ અનતાન'ત પાપા કર્યાં છે, તે બધાએાના સસ્કારી તે આત્મા ઉપર પડેલા છે. આ પ્રમાણે અશુભ કર્મોના બધાએ સંસ્કારોને સાથે લઈ ફરનારા આત્માને કઇપણ ભવમાં તે સંસ્કારોની યાદ આવ્યા વિના રહેવાની નથી, કારણ કે જે કાંઈ પાપા કર્યાં છે તે જાણકારીપૂર્ણાંક નિર્ધ્વ"સ પરિણામથી મન-વચન-કાયાવડે કરાયેલા હોય છે. તે કારણે જે જીવાત્માને વૈરાગ્ય થયા નથી તેના માટે ભવભવાંતરથી ઉઘાડેલા પાપાના દ્વાર આજે એટલે આ ભવમાં પણ ઉઘડેલા જ છે. માટે જીવાત્માને પાપાનું સેવન કરતાં, ભાગવતાં અનેતે માટેના પ્રયત્ન કરતાં કેટલી વાર લાગવાની હતી?
પ્રશ્નોત્તરનુ હાર્દ એટલું જ છે કે જ્યાં સુધી જીવાત્મા જાણીને જ્ઞાન વૈરાગ્યપૂર્ણાંક, પાપાને પાપ સમજીને તેમનાં દ્વાર અંધ ન કરે ત્યાં સુધી તે સાધક ગમે તેવી સ્થિતિમાં વિદ્યમાન છતા પણ પાપેાના ઉપાર્જનથી અટકી શકે નહી. આ પ્રશ્નોત્તર કેવળ લુહાર સંબધી જ છે, પર તુ ઉપચારથી સુતાર, ધાબી, માળી, ઘાંચી, મેાચી, ભગી, કાળી આદિ અસ ખ્યાત અવતારે પણ સમજી લેવાના છે, તથા કરેલા કે કરાવેલા કરતા પણ અનુમોદેલા પાપે પણ આત્માને ભયંકર નુકશાનકારક હાય છે.
પેાતાના આત્મા સાથે વિરતિનું પરિણમન નહી કરનારા દ્રવ્યવિરતિધરી પૌષધ કે પ્રતિક્રમણમા બેઠેલા હેાવા છતાં પણુ ઘણીવાર ન જણાય, ન અનુભવાય તેવા પાપાની અનુમેાદના કરતા જ હેાય છે. જેમ કે “ વર્ષાદ પાણી કેવા સરસ ? ફલાણુા