SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તળેટીમાં બેભેલ સન્નિવેશમાં બ્રાહ્મણને ત્યાં કન્યારૂપે જન્મ લેશે. યુવાવસ્થામાં આવતાં તે કન્યાને સારા માણસ સાથે, કરિયાવર. પૂર્વક પરણાવી દેવામાં આવશે, જ્યારે તે ગર્ભવતી બનશે ત્યારે પિયરથી આવેલા ભાઈ સાથે પિતાના પીયર જતી તે સ્ત્રી (ગોશાળાનો જીવાત્મા)ને જંગલમાં લાગેલે અને ભડકેલે દાહ સતાવશે અને અગ્નિમા, બેમેતે રીબાઈ રીબાઈને મરીને અગ્નિકુમારમાં દેવપર્યાયને મેળવશે. ત્યાંથી મનુષ્યાવતારમાં સમ્યગુદર્શન મેળવવા માટે ભાગ્યશાળી બનશે અને દક્ષા લેશે, પણ ચારિત્ર મેહનીયની તીવ્રતાના કારણે સયમની વિરાધના કરશે અને અસુરકુમાર પુનઃ મનુષ્ય–દીક્ષા સ યમ– વિરાધનામાં મરીને દક્ષિણ દિશાના નાગકુમાર દેવપર્યાયને મેળવશે પુનઃ મનુષ્ય, સંયમ–વિરાધના, સુપર્ણ દેવપર્યાય, ફરીથી મનુષ્ય, સંયમ વિરાધના અને વિદ્યુકુમાર દેવ અને મનુષ્ય અવતારોમા ઘણો લાબે કાળ પૂર્ણ કરશે અને ત્યારપછી શ્રમણુધર્મની વિરાધનાથી બચશે ત્યારે સૌધર્મ દેવકને પર્યાય મેળવશે. પુનઃ મનુષ્ય અવતાર, સમ્યક્ત્વ અને શ્રમણધર્મની શુદ્ધ આરાધના કરી સનકુમારત્વ મેળવશે. આ પ્રમાણે ઠેઠ આરણ દેવલેક સુધી સમજવું. ફરી મનુષ્ય અને સર્વાર્થસિદ્ધ વિમાન, ત્યાથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ધનાઢ્ય દિપ્ત, અને કેઈનાથી પણ ગાજ્યો ન જાય તેવા કુળપુત્ર રૂપે અવતરશે. ત્યાં પૂર્વભવની અનુભૂતિ થતાં શ્રમધર્મ સ્વીકારીને તે સમયે તે સૌની સામે એમ કહેશે કે હે “આર્યો! હું પહેલા કેઈક ભવમાં ગોશાળા નામે હતો જ્યાં શ્રમણ હત્યારે, મુનિઓનો નિંદક બન્યા હતા અને છઘસ્થાવસ્થામાં રીબાઈ રીબાઈને મરણ પામી ઘણે લાબો સંસાર મારા ભાગ્ય લખાણો હતો. માટે હે ભાગ્યશાળીઓ ! તમે કેઈપણ કાળે જૈન શાસનના આચાઓંના-મુનિઓના વૈરી-વિરેધી–નિંદ્રક બનશે નહિ અને કઈ 'i 1 :
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy