________________
૩૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
એટલે ધેા જખરદસ્ત હતા જેનાથી તે રાન્ત કેવળ વ્યવહાર પૂરતા ખેલ્યા કે તમારી વાત સાચી છે અને હવે તેમ નહીં કરૂ',
તે કાળે તે સમયે વિમલનાથ અર્હુતના પ્રશિષ્ય, જાતિસમ્પન્ન, છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર, મતિ-શ્રુત અને અવધિજ્ઞાનના સ્વામી, તેજોલેશ્યાને પ્રાપ્ત કરેલા ‘સુમંગળ’ નામના મુનિરાજ ખાહ્યોદ્યાનમા આતાપના લઇને વિહરે છે, તે સમયે વિમલરાજાની સવારી ત્યાંથી જઈ રહી હતી અને મુનિ પર રાજાની નજર પડી. રાષે ભરાયેલા રાજાએ રથના અગ્રભાગની જોરદાર ઠાકર મુનિને લગાડીને મુનિને નીચે પાડી દીધા. માંડમાંડ ઊભા થયેલા મુનિને ખીજી વાર ઠોકર લગાડીને પાડ્યાં ત્યારે ઊભા થયેલા મુનિરાજે પેાતાના અવધિજ્ઞાનના ઉપયેગ મૂકયો અને સત્યાર્થ જાણીને મુનિએ રાજાને કહ્યું કે તમે વિમલ કે દેવસેન રાજા નથી, પણ ગતભવમાં મુનિઓના હત્યારા ગાશાળા નામે મહાવીરસ્વામીના શિષ્ય હતા, જે સમયે તમે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ જેવા પરમ તપસ્વી મુનિએને તેજોલેશ્યાથી દુગ્ધ કર્યાં પણ મુનિએ તમારા પ્રત્યે રુષ્ટ થયા નથી. પરંતુ હું તમને, રથને અને ઘેાડાઓને તથા સારથિને તેજોલેશ્યાથી ભસ્મ કર્યા વિના રહીશ નહિ. મુનિની વાત સાંભળીને રાષે ભરાયેલા રાજા ત્રીજી વાર મુનિને ઠોકર મારી પાડી નાખશે, માંડમાડ ઉભા થયેલા તે મુનિ પેાતાની તેોલેસ્યાથી તે બધાએને ખળીને ખાખ કરશે, ત્યાર પછી મુનિ સ્વસ્થ થઇને પશ્ચાતાપ કરતા પાતે વિશેષ પ્રકારે તપમાગે ચડી, છઠ્ઠ, અઠ્ઠમ, દશ ઉપવાસ વડે આત્માને ભાવિત કરી અનશન આદરશે અને ૬૦ ટંકનું ભાજન ત્યાગીને સર્વાંસિદ્ધ વિમાનમાં જશે, ત્યાંથી મહાવિદેહ જશે અને પરિનિર્વાણ પામશે.