________________
३०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બે, કે મારી તે જેલેશ્યાથી ગોશાળાને કાંઈ પણ થયું નથી. અંગ-પ્રત્યંગને પણ હાનિ થઈ નથી. માટે હે પ્રભો ! હું જાણી શક્યો છું કે આવા અગ્ય શિષ્ય ઉપર પણ આપશ્રીની કૃપાદૃષ્ટિ જ કારણ બની છે. દયાના અવતાર સમા હે પ્રભો ! આપશ્રીને મારી વંદના છે.
હે ગૌતમ! ત્યાર પછી તે ગોશાળે મારી પાસે આવ્યા અને કહ્યું કે હે ભગવન ! આ તાપસે જે તેજલેશ્ય મૂકી તેની વિધિ શું છે ? ભવિતવ્યતા બલવતી હશે. ગૌતમ ! મે કહ્યું કે “મુઠ્ઠી વાળ્યા પછી આંગળા ઉપર જેટલા અડદના દાણું રહે તે છ મહિના સુધી ખાવા અને અંજલી પ્રમાણે પાણી પીવું. આમ છઠ્ઠને પારણે છઠ્ઠ કરી પારણામાં ઉપરને વિધિ કરે. જેથી તેનોલેસ્થાની સિદ્ધિ થાય છે અને પિતાના ગરજ પૂરતી તે વાતને ગોશાળાએ સ્વીકાર કર્યો. ત્યાર પછી કૂર્મગ્રામથી સિદ્ધાર્થનગર તરફ જતા વચ્ચે તલનો છેડ જોઈને પૂર્વોક્ત વાતને યાદ કરતો અને કરાવતે ગૌશાળે તે છેડને જુએ છે, જેમાં સાત તલે એક કળીમાં હતાં તેથી તેને ભવિતવ્યતાનો સિદ્ધાંત અને વનસ્પતિના જીવોની જેમ બધા જ પુન તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે તેવી માન્યતા પ્રત્યે તે ગાળો શ્રદ્ધાળુ બન્યું. ત્યાર પછી લાગટે છ મહિના સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ કરી અડદના પારણાથી તેજલેશ્યાની સિદ્ધિ થઈ અને દિશાચર પાસેથી અષ્ટાંગ નિમિત્ત દ્વારા તેણે પિતાને મઠ જુદો જમાવ્યું છે.
ગૌતમ! તારા પૂછવાથી શાળાની હકીકત કહી છે. ભૌતિક જ્ઞાનથી મદોન્મત થયેલે તે જિન નથી, કેવળી નથી, અર્હત નથી.