SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જીવિત-મરણ આદિને કહેતે થયે અને મોટા સમાજને આકર્ષિત કરી શક્યો. તેમાં શ્રીમતે, તેમની પત્નીઓ પણ આકર્ષાઈ અને શાળાના અનુયાયી બની ગયા. યદ્યપિ સાધારણ જનતા સમજતી હતી કે ગોશાળ “જિન” નથી, તે પણ શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા અને રાગ કરતાં દૃષ્ટિરાગ ઉપરાંત જે વ્યક્તિથી પોતાનું માન, મેટાઈ કે બીજા પ્રકારે પણ લાભ થતું હોય ત્યાં માનવના આન્તર ચક્ષુઓ બંધ થઈ જતાં ચામડાની આંખ જ કેવળ ઉઘાડી રહે છે. તેથી જ “જિન” નથી છતાં પણ જનતાને મોટો વર્ગ શાળાને જિન, તીર્થકર, સર્વજ્ઞ માનતે થશે અને તે પ્રમાણે જ વ્યવહાર કરવા લાગ્યા. પછી તે ભક્તોની માયાને વશ થઈને ગશાળ પણ પિતાના શ્રીમુખે “હું જિન છું, સર્વજ્ઞ છું. ઈત્યાદિ શબ્દોને વ્યવહાર કરતા વધારે ગર્વિષ્ઠ બની ગયે હતે. તે કાળે તે સમયે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજમાન થઈને પર્ષદાને સત્ય-અસત્ય, સમ્યફવ–મિથ્યાત્વ, આદિને ધર્મોપદેશ આપી રહ્યાં છે. તે સમયે ગૌતમસ્વામી છઠું ને પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતાં અને શ્રાવસ્તી નગરીમાં ભિક્ષાને માટે પધાર્યા. તે સમયે જનતાના મુખેથી સાંભળ્યું કે ગોશાળે જિન તરીકે વિચરી રહ્યો છે, તે સાભળીને કાશીલ થયેલા ગૌતમસ્વામી ભિક્ષા પતાવીને સમવસરણ તરફ આવ્યા અને ગૌચરીની આલોચના કરીને પૂછ્યું કે હે પ્રભ! ગોશાળે શું જિન છે? અને હેય તે આ વાત શું સાચી હોઈ શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ગોશાળ જિન નથી, અહંત
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy