SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ રાતક ૧૪ મું ઉદ્દેશક-૮ ૨૮૩ આપણને ખાત્રી થાય છે કે જીવાત્માની શક્તિની ચારે બાજુએ કર્મરાજાને ઘેરા બહુ જબરદસ્ત છે. આયુષ્યકર્મની બેડીમાં જીવમાત્ર ફસાયેલે હોવાથી ચાલુ ભવનો ત્યાગ કર્યા વિના તે બીજા ભવને કેઈ કાળે પ્રાપ્ત કરતું નથી. ૪૮ લબ્ધિઓના સ્વામી આકાશમાં ઉડી શકે છે, રૂપાંતર કરી શકે છે કે ચકવર્તીના સૈન્યના ચૂરેચૂરા કરી શકે છે, બીજાના શરીરમાં પ્રવેશ કરી આખાએ સંસારમા ધમપછાડા કે રંગરાગ માણી શકે તે પણ સિદ્ધશિલા ઉપર પગ મૂકી શકવા માટે કોઈની લબ્ધિઓ, મંગે, જ>, તત્રમાંથી કાંઈ પણ કામ આવવાનું નથી પિતાના કરેલા, કરાવેલા કે અનુદેલા પાપના ફળો ભગવ્યા વિના છુટકે નથી એમ સમજીને શરીરને છોડે તે જીવ સીધે ઉપર તરફ જતા હોય છે. પણ બીજા ભવને માટે બંધેલું અનુપૂવી નામકર્મને તે જ સમયે ઉદય થતાં યમરાજ જેવું તે કર્મ જીવાત્માને પોતાની પકડમાં લઈ લે છે અને કરેલા કર્મોને ભેગવવા માટે બીજા ભવમાં પટકી દે છે. આવી રીતે કર્મસત્તાના કારણે પરાધીન થયેલે આત્માં સિદ્ધશિલામાં શી રીતે જઈ શકે ? ત્યારે અનંત સુખના ધાર્મ જેવી સિદ્ધશિલામાં જવા માટે સંપૂર્ણ પુણ્ય અને પાપકર્મોને ક્ષય કર્યા વિના બીજે એક પણ માર્ગ નથી. ક્ષપકશ્રેણી વિના કેવળજ્ઞાન નથી અને તે વિના મુક્તિ નથી. ઔદારિક શરીરધારી, વાકાષભનારાચ સંઘયણને સ્વામી મનુષ્ય કે સ્ત્રી જ કેવળજ્ઞાન મેળવી શકે છે. તે સિવાય બીજો એક પણ જીવાત્મા તે માટે સમર્થ નથી.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy