________________
શતક ૧૪ મું : ઉદ્દેશક–પ અગ્નિની વચ્ચે થઈ નારકાદિ પસાર થઈ શકે છે?
અગમ્ય સંસારની કેટલીક વાતો એટલી બધી અગમ્ય, અલક્ષ્ય અને વિચિત્ર હોય છે કે તેને કેવળજ્ઞાની વિના બીજે કેઈ પણ જાણી શકવા માટે સમર્થ છે જ નહીં. તે માટે જ અહંવત્ર પ્રસૂતા દ્વાદશાંગી રત્નોની ખાણ કહેવાઈ છે. તેમાં પણ ભગવતીસૂત્રની શિરોધાર્યતા કેઈનાથી પણ નકારી શકાય તેમ નથી.
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! ધગધગતી અગ્નિની વચ્ચેથી પણ શું નારક જ નીકળી શકે છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે, કેટલાક નારકો અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે અને કેટલાક નથી નીકળતા.
આશ્ચર્ય પામેલા ગૌતમે ફરી પુછયું કે હે પ્રભે ! આનું શું કારણ છે કે, કેટલાક નારકે અગ્નિની વચ્ચેથી નીકળે છે અને કેટલાક નથી નીકળતા. ભગવંતે કહ્યું કે નારક જીવે પ્રકારના હોય છે (૧) વિગ્રહ ગતિ સમાપન્નક અને (૨) અવિગ્રહગતિ સમાપન્નક. વિગ્રહ અને અવિગ્રહ ગતિનું વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે, તેમાંથી વિગ્રહગતિથી યાવતુ ચોથા સમયે ત્રણ વિગ્રહથી નરકમાં જવાવાળા જી અગ્નિની વચ્ચે થઈ જઈ શકે છે. તે સમયે તેમની પાસે સૂક્ષ્મ કાર્પણ શરીર હોવાથી તે અગ્નિથી બળી શકતા નથી, પાણીમાં ડૂબતાં