SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તથા વિસસાકરણની શક્તિ પણ અચિત્ય છે; માટે જે સ્કંધથી પરમાણુ છુટો પડ્યો છે, પુનઃ તે જ સ્કંધને મળી શકવાની શક્યતા છે. (૨) ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ અને અચરમ પણ છે. ચરમ માટે કારણ બતાવતાં પરમાત્માએ કહ્યું કે, કેવળી ભગવંત જ્યારે કેવળી સમુઘાત કરે છે, ત્યારે તે સમયે જે ક્ષેત્રમાં કેવળી ભગવત સાથે જે પરમાણુને સંબંધ થયે હોય તે પરમાણુ પુન કેઈ કાળે પણ કેવળીના આત્મા સાથે સંબંધિત થઈને તે ક્ષેત્રદેશને પ્રાપ્ત કરતું નથી કેમકે કેવળીને આત્મા સિદ્ધશિલામાં બિરાજમાન છે તેથી તે ક્ષેત્રમાં કેવળીને પુનરાગમન નથી માટે ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ છે અને સાધારણ ક્ષેત્રની અપેક્ષાએ અચરમ પણ છે. (૩) કાળાદેશથી પણ ચરમ અને અચરમ જાણવું. અમુક સમયમાં કેવળીએ સમુદ્દઘાત કર્યો અને મોક્ષમાં ગયા, હવે કેવળીને પુન સમુદુઘાત કરવા નથી માટે સમઘાતના કાળની અપેક્ષાએ પરમાણુ ચરમ છે અને સાધારણ કાળની અપેક્ષાએ અચરમ પણ છે. (૪) ભાવાદેશથી જે સમયે વદિવંત પુદ્ગલ પરમાણુ કેવળી સમુદઘાત સમયે હતો, કાળાન્તરે મોક્ષમાં ગયેલા કેવળીની અપેક્ષાએ ચરમ છે અને સાધારણ ભાવની અપેક્ષાએ અચરમ છે. પરિણામભેદની વક્તવ્યતા શું છે? હે પ્રભે! પરિણામે કેટલા પ્રકારના છે? જીવ પરિણામ અને અજીવ પરિણામ રૂપે પરિણામે બે પ્રકારના કહ્યાં છેઃ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy