________________
શતક ૧૪ મું ઉદ્દેશક-૪
૨૫૯ ઘણો લાંબો કાળ પસાર કર્યો ત્યાં વળી કેઈ અદષ્ટ કારણે કેલસાના પર્યાયમાં પરિવર્તિત થયા. તેમાંથી હીરામા રૂપાંતર થયો. તેની ભસ્મ બનીને કેઈ સ્ત્રીના શરીરમાં આવીને લોહીરૂપે બનીને તે લેહીથી માનવશરીરના પર્યાયમાં આવતા તે માટીદ્રવ્યને પરમાણુ બહુરૂપીની જેમ રૂપ બદલીને માનવશરીરમાં કામ આવ્યા છે. મનુષ્ય મર્યો તેની રાખ બની અને તે રાખ પરમાત્મા જાણે ફરીથી ક્યા સ્કંધ સાથે મિશ્રિત થશે. આમ એક જ પરમાણુ કેટલાય પર્યામાં રૂપાંતર થાય છે માટે પર્યાયન અશાશ્વત કહેવાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું કે તેની અશાશ્વત અવસ્થા પર્યાયને આભારી છે. આ કારણે ચરાચર સ સારને સાક્ષાત્ કરનારા દેવાધિદેવ ભગવંતે કહ્યું કે, તૃણથી લઈ આકાશ સુધીના દ્રવ્યો પોતાના દ્રવ્યત્વને લઈને શાશ્વતા છે અને પર્યાના કારણે અશાશ્વતા છે.
પરમાણુ ચરમ કે અચરમ?
પરમાણુ શાશ્વત હોવા છતાં પણ તેની ચરમતા અને અચરતા સંબધીના પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ભગવંતે કહ્યું કે, તેને નિર્ણય ચાર પ્રકારે કરવાનો રહેશે. (૧) દ્રવ્યાદેશથી (૨) ક્ષેત્રાદેશથી (૩) કાળાદેશથી (૪) ભાવાદેશથી
(૧) દ્રવ્યાદેશથી પરમાણુને અચરમ ફરમાવતાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! કઈ સ્કધભાવથી છુટા પડેલો પરમાણુ કાળાન્તરે સ્કધને ફરીથી ન મળે તે ચરમ કહેવાય છે અને પુન મળે તે અચરમ કહેવાય છે. દ્રવ્યાદેશથી આજને છુટો પડેલે પરમાણુ ફરીથી ગમે ત્યારે પણ પાછો તે સ્કંધને મળશે. કેમકે સંસાર અનંત છે, પરિણામે અનંત છે અને પ્રયોગ