________________
૨૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્કંધરૂપે બે પ્રકારના છે. તેમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે. કેમકે તેમને અંત નથી થતા.
પરંતુ તે પરમાણુ જ્યારે સ્કંધમાં મિશ્રિત થાય છે ત્યારે તે–પરમાણુરૂપે સંબંધિત થતું નથી, પણ પ્રદેશરુપ નામાન્તરથી વ્યપદેશાય છે અને જુદા જુદા વર્ણાદિ પર્યાને લઈને સ્કંધાન્તર્ગત પરમાણુ પણ–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ પર્યાની અપેક્ષાએ રૂપાન્તર પામતું હોવાથી લાલ ઘડામાં રહેલે પરમાણુ લાલ ઘડા તરીકે સંબોધાય છે, અને તે જ પરમાણુ નિમિતને લઈ લાલ રંગને છેડે છે અને પીળા રંગને પ્રાપ્ત થાય છે. ત્યારે પીળા રંગે સંબધાને હોવાથી જુદા જુદા પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે, માટે પર્યાયાસ્તિક નયે અશાશ્વત છે.
નોંધ: શુદ્ધ પરમાણુમાં જે દ્રવ્ય રહેલું હશે પછી ચાહે તે માટી દ્રવ્યનું, સુવર્ણ દ્રવ્યનું, વસ્ત્ર દ્રવ્યનું કે વનસ્પતિ આદિ દ્રવ્યનું હોય તે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. એટલે કે તે હમેશા શાશ્વત પદાર્થ છે.
જૈન શાસનમા પરમાણુ એક જાતના હોય છે કેમકે સૌમાં–એક વર્ણ, એક ગધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. પરત પ્રવેગ કે વિસસાકરણને લઈ જુદા જુદા નિમિત્તો મળતા પરમાણુ જેવા સ્ક ધમાં મિશ્રિત થાય છે તે અનુસાર પરમાણુ પણ જુદા જુદા પર્યાયામાં બદલતે રહે છે, જેમકે, માટી દ્રવ્યમાંથી ઘડે બન્યા. આ ઘડામાં માટી દ્રવ્યનો જે શાશ્વત પરમાણુ હતો તે સ્કંધમાં મળતી જ ઘડાના પર્યાયે સબંધાયો. પછી ઘડે ફૂટ્યો ત્યારે ઠીકરાના પર્યાયે કહેવા છે અને તે ઠીકરા લાંબા કાળ સુધી ખાડામાં ક્યાંય દબાઈને