________________
૨૫૫
શતક ૧૪મુંઃ ઉદ્દેશક-૩ બને તે માણસ ઘડીકમાં કલકતા, બીજી ઘડીએ મદ્રાસ, ત્રીજી ઘડીએ મુંબઈ, ચેથી ઘડીએ મહુડીના ઘ ટાકર્ણ પાસે, પાંચમી ઘડીએ નાકેડાના ભેરુજી પાસે, છઠ્ઠી ઘડીએ નરોડાની કે વાલકેશ્વરની પદ્માવતીદેવી પાસે, સાતમી ઘડીએ
જ્યોતિષી મહારાજ પાસે, આઠમી ઘડીએ વાસક્ષેપ નિક્ષેપકે પાસે પ્લેનમાં કે પગે ચાલીને રખડતે હોય છે. તેવા સમયે તે કોઈની સાથે આંખ મેળવવાને માટે કે ગુરુઓને વિનય કરવા માટે પણ ક્ષમતા રાખી શકતો નથી. આ જ રીતે નાર માટે પણ સમજી લેવું.
અસુરકુમારાદિ દેવ હોવાના કારણે તેઓ ગ્ય વ્યક્તિએના સકારાદિ કરવા સમર્થ છે. જ્યારે પાચે સ્થાવર અને વિકલેન્દ્રિય જીવોને નરકની જેમ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચમા વિનયાદિ હોઈ શકે છે, પરંતુ કેઈને આસનાદિ આપવું આદિ વિનય પ્રકારે તથા વ્યક્ત વચન અને હાથને અભાવ હોવાથી નથી હોતો. - બીજા દેવે અને મનુષ્યોમાં વિનય પ્રકાર હોય છે.
દેવામાં પણ અવિનયકરણની વક્તવ્યતા ' વિષય કષાયની ભાવનાને ઉપશમિત કરનાર આત્માને વિનય વિવેકની પ્રાપ્તિ સુલભ અને ચિરસ્થાયિની હોય છે, અન્યથા ધનવૈભવથી માન, યુવાનીથી મદ, ઐશ્વર્યના અતિરેકથી ગર્વિષતા, વિદ્વતાથી અહંકાર અને શરીરબળથી તૃપ્ત થઈને પિતાનાથી હીનનું અપમાન કરતાં તે જીવાત્માને વાર લાગતી નથી.