SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૬) કેઈને આસન આદિ આપી શકતા નથી. (૭) બીજા સ્થાને જઈને પણ આસનાદિ આપતા નથી. (૮) કેઇની સામે જઈ શકતા નથી. (૯) માન્ય વ્યક્તિઓનું માન સાચવી શકતા નથી. (૧૦) માનાર્હની પાછળ જઈ શક્તા નથી. બહુલતાએ નારક છે પરસ્પર વૈરના બંધવાળા જ હોય છે. તેથી દ્વેષી ને સામેવાલા દ્વેષીને વિનય કરવાનો પ્રસંગ રહેતું નથી. ત્યારે પ્રશ્નોત્તરનું હાર્દ તપાસતાં એમ અનુમાન કરી શકીએ છીએ કે મનુષ્ય અવતારમાં– (૧) સાસુ વહુ મૈિત્રીભાવ અને પૂજ્યભાવવાલા હોવા છતાં (૨) બે ભાઈ પરસ્પર સામે મૈત્રી સ બંધવાળા હોવા છતાં (૩) ગુરુ શિષ્ય સારા સંબધેથી સબંધિત હોવા છતા ડીવાર માટે સમજે કે સાસુવહુ, બંને ભાઈઓ કે ગુરુશિષ્ય બીજા પ્રકારે ભારે કમી હોવાથી નરકગતિમાં આવ્યા હોય અને ત્યાં ગુરુનો આત્મા શિષ્યના આત્મા સાથે સંબંધિત થાય તે પણ તેઓ બંને જણા બીજા અસંખ્યાત છ સાથે વયુક્ત હોવાના કારણે એક બીજાને વિનય કે સારા સંબ છે સાચવી શકવા માટે સમર્થ હોઈ શકતા નથી. લોકવ્યવહારમાં પણ આપણે અનુભવી રહ્યાં હોઈએ છીએ, સરકારની આંખમાં ધૂળ નાખીને લાખ કરોડોના ગોટાળા કરનારની પાછળ સરકાર તરફથી તેને પકડવા માટે ગુપ્તચરે, ડયુટીપરના પેલીસા વગેરે પડ્યા હોય ત્યારે અત્યંત ભયગ્રસ્ત
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy