SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) યક્ષાવેશ ઉન્માદ : પૂર્વભવનો કેઈ વેરી દેવ કે દેવીને પ્રવેશ માણસમાં થવાથી, તે માણસ પોતાની શુધ બુધ ગુમાવી દે છે ત્યારે કેઈક સમયે માથું ધુણાવે છે, અસબધ બક્વાટ કરે છે, ઘરમાં તેડડ કરે છે સૌને પરેશાન કરે છે અને બીજા સમયે લાકડાની જેમ સૂતે હોય છે, ઈત્યાદિ યક્ષેન્માદના લક્ષણો છે. (૨) મહેદોન્માદ : મહ-મિથ્યાત્વ અને સંસારની માયામાં બેભાન બનીને તીવ્રાતિતીવ્રરૂપે ઉપાર્જન કરેલા મેહકર્મનો ઉદય જ્યારે આ ભવમાં થાય છે, ત્યારે માનવના શરીરમાં મહુવાસના, વિષયવાસના, પાપવાસના અને કષાયવાસના ભડકે બળે છે તે સમયે જીવાદિ તને જ્ઞાતા પણ પુરુષવેદ કે સ્ત્રીવેદના તોફાનમાં મર્યાદાતીત મસ્તી કરે છે, જેના કારણે પિતાના જીવનતત્ત્વની પણ શુધબુધ ખાઈ દે છે તે સમયે મેહવાસનાને ગુલામ બની ગમે તેવી અસભ્ય ચેષ્ટા, ભાષણ, ઈશારા, પત્રવ્યવહાર આદિમાં રાગાધ બનીને વડિલે, ગરએને, યાવત્ ધર્મપત્નીનો ધમ્ય વ્યવહાર ભૂલી જઈને ભૂડ જેવા કર્મો કે કૂતરાડા જેવા નિંદનીય કર્મોમાં પોતાની ખાનદાની કે પિતાના ભણતર ગણતરને પણ અભરાઈએ મૂકી દે છે. આ ઉન્માદ જ્યારે જ્યારે મર્યાદાથી બહાર જાય છે ત્યારે ગમે તેવા પુરુષ કે સ્ત્રીને, નાનાને કે મોટાને પંડિત કે મૂખે ને કુંવારા કે પરણેલાને, કુંવારી કે વિધવા તથા સધવાને સર્વથા તોફાને ચડાવી દે છે. . સંસારની ભયંકર વેદનાએ ભેગવ્યા પછી દીક્ષિત થયેલા સંભૂત મુનિને વંદન કરતી સનતકુમાર ચક્રવતીની રાણીના મૃદુલ વાળના સ્પર્શ માત્રથી ભહેભાદના નશામાં
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy